IPLમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તે મુંબઈ ઈન્ડિયન્સને જીતાડવાની ભૂમિકામાં પોલાર્ડ તરીકે જ રહેશે. તે મેચો માટે ફ્રેન્ચાઇઝીના ઉભરતા બેટ્સમેનોને તૈયાર કરશે.
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડીએ IPL માંથી જાહેર કરી નિવૃતિ
2023 ની IPL નહી રમે પોલાર્ડ
IPL 2023માં તે મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર પોલાર્ડને IPL થી નિવૃતિ લેવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર IPL 2023 માટે ખેલાડીઓને રિટેશનથી પહેલા આવ્યા છે. પોલાર્ડ IPL માં નહી રમે તેવા સંકેતો આ IPL માં જ મળી ગયા હતા. પરંતુ સંન્યાસની વાત ઉપર હજુ તેઓ સ્પષ્ટ ન હતા. પરંતું હવે તેઓએ સંન્યાસ લેવાનુ નક્કી કર્યું છે. જેથી તેઓ IPL 2023 માં નહી રમે.
હવે સવાલ એ છે કે આઈપીએલમાંથી નિવૃત્તિ લીધા પછી કિરોન પોલાર્ડ શું કરશે? તો અમે તમને જણાવી દઈએ કે તેની નવી ભૂમિકા કોચની હશે. IPL 2023માં તે મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે.
IPLમાંથી નિવૃત્તિ, હવે મુંબઈની બેટિંગ સારી રહેશે
એટલે કે IPLમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તે મુંબઈ ઈન્ડિયન્સને જીતાડવાની ભૂમિકામાં પોલાર્ડ તરીકે જ રહેશે. તે મેચો માટે ફ્રેન્ચાઇઝીના ઉભરતા બેટ્સમેનોને તૈયાર કરશે. અને, આ તૈયારી માટે તેમનાથી શ્રેષ્ઠ કોઈ ન હોઈ શકે. પોલાર્ડ પાસે આઈપીએલનો અનુભવ છે. આ સિવાય તેણે દુનિયાભરની લીગમાં પણ પોતાની જ્યોત ફેલાવી છે. આ અનુભવ હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે કામમાં આવવાનો છે અને તે આઈપીએલનું છઠ્ઠું ટાઈટલ પણ જીતતા જોવા મળી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સમાં 13 વર્ષથી રમે છે પોલાર્ડ
કાઈરન પોલાર્ડ છેલ્લા 13 વર્ષથી મુંબઈ ઈન્ડિંયન્સ સાથે જોડાયેલો છે. પરંતું એક દાયકાથી વધારે ચાલેલ આ સબંધ હવે એક નવા પડાવ પર આવીને ઉભો થઈ ગયો છે. આ દરમ્યાન પોલાર્ડે IPL માં 189 મેચો રમી, જેમાંથી 171 મેચોમાં 147.32 નાં સ્ટ્રાકઈ રેટથી 3412 રન બનાવ્યા છે. પોલાર્ડને IPL માં 16 અડધી સદી ફટકારી છે.
પોલાર્ડની ભૂમિકા ઓલરાઉન્ડરની હતી
મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતી વખતે પોલાર્ડની ભૂમિકા ઓલરાઉન્ડરની હતી. બેટીંગ સિવાય તેણે બોલીંગમાં પણ પોતાની કુશળતા બતાવી છે. આ દરમ્યાન તેણે મુંબઈને ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. IPLમાં 189 મેચ રમ્યા બાદ પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સ માટે 69 વિકેટ લીધી હતી. આ દરમિયાન, 44 રનમાં 4 વિકેટ લેવી એ બોલીંગ સાથે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.