આ અરજીમાં CM મમતા બેનર્જીને પણ પક્ષકાર બનાવ્યા છે પણ કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી.
હિંસાની તપાસ SITને સોંપવામાં આવે
બંગાળ સરકાર અને ચૂંટણી પંચ ચાર અઠવાડિયામાં જવાબ આપે
આ માંગણીઓ કરવામાં આવી
હિંસાની તપાસ SITને સોંપવામાં આવે
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ કરવા માટે SITને સોંપવામાં આવે, જે લોકો ઘાયલ થયા છે તે લોકોને આર્થિક વળતર આપવા માટે અને સુરક્ષા આપવા માટે આવેલ અરજી પર સુપ્રીમ કોર્ટ પશ્ચિમબંગાળ અને કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. આ અરજીમાં CM મમતા બેનર્જીને પણ પક્ષકાર બનાવ્યા છે પણ કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી.
બંગાળ સરકાર અને ચૂંટણી પંચ ચાર અઠવાડિયામાં જવાબ આપે
સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ બંગાળના ઘણા શહેરોમાં હિંસા ભડકી ઉઠી હતી. ઘણી જગ્યાએ આગના બનાવો અને ઘણી જગ્યાએ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ જે ઘટના ઘટી તેની પાછળ જે પણ લોકો જવાબદાર છે તે લોકોને સામે લાવવા માટે SITની માંગ કરવામાં આવી હતી. આ વિશે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર અને ચૂંટણી પંચ ચાર અઠવાડિયામાં જવાબ આપે.
આ માંગણીઓ કરવામાં આવી
સુપ્રીમ કોર્ટમાં આવેલ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લોકોને પુનર્વાસ આપવામાં આવે, જે લોકો પોતાના ઘર છોડીને આસામ કે પછી બીજા કોઈ રાજ્યમાં જતાં રહ્યા છે. આ અરજીમાં કેન્દ્ર દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવા માટેની પણ માનગની કરવામાં આવી છે. સાથે જ ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ SITને સોંપવામાં આવે, જે લોકો ઘાયલ થયા છે તે લોકોને આર્થિક વળતર આપવા માટે અને સુરક્ષા આપવામાં આવે તેવી માંગણીઓ કરી છે.