ચૂંટણી બાદ પણ બંગાળમાં હિંસા યથાવત છે. બંગાળમાં હજુ પણ હત્યાનો સિલસિલો યથાવત છે. કૂચ બિહારમાં અને ઉત્તર દમદમમાં એમ બંને જગ્યાએ ટીએમસીના બે કાર્યકર્તાઓની હત્યા થઈ છે. ત્યારે હવે બંગાળમાં તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
મમતા બેનર્જીએ મૃતક કાર્યકર્તાના પરિવાર સાથે પણ મુલાકાત કરી છે. પણ હવે ટીએમસીના બે કાર્યકર્તાઓની હત્યા બાદ ટીએમસીના એક મંત્રીએ પડકાર ફેંકતા કહ્યું છે કે, હત્યાનો બદલો હત્યાથી લેવાશે.
જ્યોતિપ્રિયા મલ્લિકે કહ્યું કે, સોપારી કિલર આરોપી સાથે જોવા મળ્યો છે. આરોપીએ ભાજપ સાથે મળીને ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો. તેઓએ જ સોપારી કિલરની મદદ કરી છે. ત્યારે જ સોપારી કિલરે ટીએમસીના કાર્યકર્તાની હત્યા કરી નાખી. અમે જાણીએ છીએ કે માસ્ટર માઈન્ડ કોણ છે બૈરક કે બીજાપુરથી છે માસ્ટરમાઈન્ડ. જેણે અમારા નેતાઓને મારવા માટે આદેશ આપ્યો હતો. અમે માસ્ટર માઈન્ડને છોડીશું નહીં. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
બીજેપી પર હત્યાનો આરોપ
પરિવારજનો અને સ્થાનિય ટીએમસી નેતાનો આરોપ છે કે બીજેપીના એક નેતાએ પોતાના સમર્થકો સાથે મળીને કાર્યકરની માર મારી હત્યા કરી નાંખી. જોકે બીજેપીએ આરોપોને ફગાવતા તેને અંગત અદાવતનું પરિણામ બતાવ્યું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
West Bengal: A TMC worker, Ajijar Rahaman killed in Cooch Behar. A local TMC leader says, "Azhar Ali, a member of BJP and some other people beat up & killed Ajijar Rahaman." (5.6.19) pic.twitter.com/03UDnhwh4G
ગત બે દિવસોમાં ટીએમસી કાર્યકર્તાઓની આ બીજી હત્યા છે. આ પહેલા મંગળવારે દમદમમાં ટીએમસી વર્કર નિર્મલ કુંડૂની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. કુંડૂના પરિવારજનો મુજબ, ત્રણેય આરોપીઓ બાઇક પર સવાર થઇ આવ્યા હતા અને બાદમાં ગોળી મારી દીધી હતી. ઘાયલ અવસ્થામાં એમને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં હાજર ડૉક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. ટીએમસીએ આ ઘટના માટે બીજેપીનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.