ભારતના વધુ એક રાજ્યમાં હવે તમાકુ પદાર્થો પર પ્રતિબંધ લાગશે. પશ્ચિમ બંગાળમાં સાત નવેમ્બરથી ગુટકા-પાન મસાલાના ખરીદ વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ રહેશે. તમાકુ પદાર્થોમાં ભરપુર નિકોટીન હોય છે જે સ્વાસ્થ્યને ખુબ નુકસાન પહોંચાડે છે. તેના સેવનથી કેન્સર સિવાય અન્ય જીવલેણ બીમારીઓ થઇ શકે છે. રાજ્ય ખાદ્ય સુરક્ષા તરફથી નિર્દેશ બહાર પાડવામાં આવ્યા કે પાન મસાલા, ગુટકાના ખરીદ વેચાણ પર પ્રતિબંધની સાથે જ તેના ઉત્પાદન પર પણ એક વર્ષ માટે પ્રતિબંધ લાગવવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ સરકારે તમાકુ પદાર્થો પર લગાવ્યો પ્રતિબંધ
7 નવેમ્બરથી ગુટકા-પાન મસાલાના ખરીદ વેચાણ પર પ્રતિબંધ
તમાકુ પદાર્થોના સેવનથી થાય છે જીવલેણ બીમારીઓ
નિકોટીનના કારણે થાય છે કેન્સર જેવી બીમારીઓ
પશ્ચિમ બંગાળ સરકારે સાત નવેમ્બરથી ગુટકા અને પાન મસાલા સહિત બધા જ તમાકુ પદાર્થોના ખરીદ વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગુટકા પણ મસાલા સહીત દરેક તમાકુ પદાર્થો સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક હોય છે. તમાકુ પદાર્થોમાં ભરપુર નિકોટીન હોય છે જે સ્વાસ્થ્યને ખુબ નુકસાન પહોંચાડે છે. તેના સેવનથી કેન્સર સિવાય અન્ય જીવલેણ બીમારીઓ થઇ શકે છે. રાજ્ય ખાદ્ય સુરક્ષા તરફથી નિર્દેશ બહાર પાડવામાં આવ્યા કે પાન મસાલા, ગુટકાના ખરીદ વેચાણ પર પ્રતિબંધની સાથે જ તેના ઉત્પાદન પર પણ એક વર્ષ માટે પ્રતિબંધ લાગવવામાં આવે છે.
એક વર્ષ માટે પ્રતિબંધ
આપને જણાવી દઈએ કે દુકાનો અને ગોડાઉનની સાથે જ તેના મેન્યુફેક્ચરીંગ પર પણ પ્રતિબંધ રહેશે. સાત નવેમ્બરથી જ આ નિર્દેશ સમગ્ર રાજ્યમાં લાગુ કરી દેવામાં આવશે. આ નિર્દેશમાં જ જણાવવામાં આવ્યું છે કે ગુટકા અને પાનમસાલા સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે, તેમાં નિકોટીનની માત્રા વધુ હોય છે જે જીવલેણ બીમારીઓનું કારણ બને છે.
બંગાળમાં જીવલેણ સ્તરે વાયુ પ્રદુષણ
અમેરિકાની શિકાગો વિશ્વવિદ્યાલયની એક સંસ્થા 'એપિક' દ્વારા તૈયાર કરાયેલા વાયુ ગુણવત્તા જીવન સૂચકઆંકનો નવો વિશ્લેષણ દર્શાવે છે કે પશ્ચિમ બંગાળમાં વાયુ પ્રદુષણ જીવલેણ સ્તરે પહોંચી રહ્યો છે. વાયુ પ્રદુષણ એટલી હદે પહોચી ગયું છે કે જેના લીધે રાજ્યના લોકોનું આયુષ્ય ઘટી રહ્યું છે. વાયુ પ્રદુષણના કારણે લોકોનું 3.8 વર્ષનું આયુષ્ય ઘટી જાય છે.
વાયુ પ્રદુષણનું ભોગ બનેલા ઘણા લોકો બીમાર જીવન જીવી રહ્યા છે
એર ક્વોલીટી લાઈફ ઇન્ડેક્સના આંકડાઓ મુજબ જો આ વિશ્વવિદ્યાલયના નિર્દેશોનું પાલન કરવામાં આવે તો કોલકાતાના લોકોનું આયુષ્ય 3.4 વર્ષ જેટલું વધી શકે છે અને કોલકાતા એક માત્ર એવું શહેર નથી કે જ્યાં પ્રદુષણ વધી રહ્યું છે રાજ્યના અન્ય ઘણા શહેરોમાં પણ આ જ પરીસ્થિતિ છે જ્યાં લોકોનું આયુષ્ય પ્રદુષણના કારણે ઘટી રહ્યું છે. વાયુ પ્રદુષણનું ભોગ બનેલા ઘણા લોકો બીમાર જીવન જીવી રહ્યા છે.
માત્ર કોલકાતા જ નહિ સમગ્ર પશ્ચિમ બંગાળમાં વાયુપ્રદુષણ વધી રહ્યું છ ત્યારે માલદામાં જો આજ નિર્દેશો લાગુ કરવામાં આવે તો માલદાના લોકોનું આયુષ્ય 4.8 વર્ષ સુધી વધારી શકાય છે. આમ જ અન્ય શહેરોમાં પણ આ નિર્દેશો લાગુ કરવામાં આવે અને લોકોને સ્વચ્છ હવા મળી રહે તો લોકોનું આયુષ્ય વધારી શકાશે. પુરુલિયા અને મુર્શિદાબાદમાં અનુક્રમે 4.5 અને 4.3 વર્ષ સુધી આયુષ્ય વધી શકે.