પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષને રાજ્ય સચિવાલયમાં ચા પર આમંત્રણ અપાયા બાદથી રાજનીતિમાં અનેક અટકણો શરુ થઈ છે. આ આમંત્રણ બાદ રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે મમતા બેનર્જીનો બંગાળના ભાજપમાં તીરાડ પાડવાનો પ્રયાસ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા ભાજપના મોટા નેતા મુકુલ રોયની ટીએમસીમાં ઘર વાપસી થઈ છે.
મમતાનું દિલીપ ઘોષને સચિવાલયમાં ચા પર નિમંત્રણ
હકિકત રવિવારે રાજભવનમાં સ્વતંત્રતા દિવસના પ્રસંગ પર આયોજિત ચા પાર્ટીમાં સીએમ મમતા બેનર્જીની સાથે ભાજપના નેતા દિલીપ ઘોષ, તથાગત રોય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી પણ હાજર હતા. સૂત્રો અનુસાર આ દરમિયાન મુખ્યમંત્રીએ દિલીપ ઘોષના રાજ્ય સચિવાલયમાં ચા પર આમંત્રણ આપ્યુ છે. એટલું જ નહીં મમતાએ તેમને કાલી પૂજામાં આવવાનું પણ નિયંત્રણ આપ્યું. ત્યારે દિલીપ ઘોષ દ્વારા આમંત્રણ સ્વીકાર કર્યા બાદ બંગાળ ભાજપમાં આ વાતની ખૂબ ચર્ચા થઈ રહી છે.
બેનર્જીને લાગે છે કે ભાજપ બંગાળમાં તેમને ચેલેન્જ આપી રહી છે
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 બાદથી બંગાળમાં ભાજપને મળતી સફળતાથી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. ત્યાં સુધી કે વિધાનસભા ચૂંટણીથી પહેલા તુણમુલના અનેક નેતા ભાજપમાં સામેલ થયા હતા. જે બાદથી મમતા બેનર્જીને લાગે છે કે ભાજપ બંગાળમાં તેમને ચેલેન્જ આપી રહી છે. જો કે વિધાનસભાની ચૂંટણીમાં જીત મળતા તેમને રાહત મલી હતી. પરંતુ તે ભાજપને હળવાશમાં ન લઈ શકે. એટલા માટે તેમની નજર બંગાળ ભાજપના મોટા નેતાઓ પર છે.
દિલીપ ઘોષ પણ પાર્ટીથી નારાજ
મનાઈ રહ્યુ છે કે દિલીપ ઘોષના સમર્થક તેમને બંગાળમાં ભાજપને ફરી જીવંત કરવાનો શ્રેય આપી રહ્યા છે અને અધિકારીને વિપક્ષ નેતા નિયુક્ત કરવા પર નારાજ છે. સૂત્રોનું કહેવું છે કે આ વાતથી દિલીપ ઘોષ પણ પાર્ટીથી નારાજ છે.