બીજેપીના મોટા નેતા મુકુલ રોય પોતાના દિકરા શુભ્રાંશુની સાથે TMCમાં વાપસી કરી શકે છે.
ચૂંટણી હાર્યા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ઝટકો
સાંજે પાર્ટી મુખ્યાલયમાં મળવા જઈ શકે છે આ બે નેતાઓ
TMCમાં પરત ફરવા માંગે છે મુકુલ- સુભ્રાંશું રોય
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ ભાજપને મોટો ઝટકો લાગવાનો છે. બીજેપીના મોટા નેતા મુકુલ રોય અને સુભ્રાંશું TMCમાં વાપસી કરી શકે છે. મુકુલ રોય આજે સાંજે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પાર્ટી મુખ્યાલયમાં મળવા જઈ શકે છે. આ બેઠમાં અભિષેક બેનર્જી પણ હાજર રહેશે.
તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને મળેલી મોટી જીત બાદ તેમની પાર્ટીના ઘણા સહયોગી જે પાર્ટી છોડીને ગયા હતા તે પાર્ટીમાં પરત ફરવા માંગે છે. તેમાં મુકુલ રોયનું પણ નામ સામેલ છે. મુકુલ રોય, બીજેપીમાં શુભેન્દુ અધિકારીના વધતા કદથી પરેશાન હોય તેવી ચર્ચા ચાલી રહી છે. આજ કારણ છે કે તે પોતાની જુની પાર્ટીમાં પરત ફરવા માંગે છે.
સૌગત રોયે મુકુલના ઘર વાપસીના સંકેત આપ્યા
ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મુકુલ રોય ફરી TMCમાં વાપસી કરવા માગે છે. TMC નેતા સૌગત રોયનું કહેવું છે કે આવા ઘણા લોકો છે જે અભિષેક બેનર્જીના સંપર્કમાં છે અને પરત ફરવા માંગે છે. મને લાગે છે કે પાર્ટી છોડીને ગયેલા લોકો પરત ફરવા માંગતા હોય તેને બે કેટેગરીમાં વહેચવામાં આવી શકે છે. જેમ કે સોફ્ટલાઈનર અને હાર્ડલાઈનર.
કોલકતામાં થયેલી બીજેપી મિટિંગમાં ન હતા હાજર થયા મુકુલ રોય
થોડા દિવસો પહેલા કોલકતામાં યોજાયેલી બીજેપીની મિટિંગમાં મુકુલ રોય ન હતા પહોંચ્યા. તે ઉપરાંત મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી મુકુલ રોયની પત્નીને જોવા માટે પાર્ટી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ બન્ને ઘટનાઓ બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે મુકુલ રોય બીજેપી છોડી શકે છે. મુકુલ રોય ટીએમસી છોડનાર સૌથી પહેલા નેતા હતા.