પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે ભયાનક વાવાઝોડા 'અમ્ફાન' થી ધ્વસ્ત થઇ ચૂકેલા જરૂરી પાયાકીય ઢાંચા અને સેવાઓને તાત્કાલિક ફરી સ્થાપિત કરવા માટે સેનાની મદદ માંગી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે રાહત કાર્યોમાં મદદ માટે સેનાને બોલાવવામાં આવી છે.
રાહત કાર્યોમાં મદદ માટે સેના બોલાવામાં આવી
NDRF અને SDRFની ટીમ પહેલાથી તહેનાત છે
નિવેદન મુજબ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પહેલાથી જ તહેનાત છે. રાજ્ય સરકારની સાથે રેલવે, પોર્ટ અને ખાનગી ક્ષેત્રે પણ ટીમો અને ઉપકરણોને ઉપલબ્ધ કરાવવા અપીલ કરી છે. મમતા સરકારનું કહેવું છે કે પીવાનું પાણી અને વૉટર ક્લિયરન્સ જેવા પાયાકીય ઢાંચાને ઝડપથી ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે.
વીજળી જ્યાં જરૂરી છે ત્યાં જનરેટર લગાવામાં આવી રહ્યા છે. ધરાશાઇ થયેલા ઝાડોને કાપવા માટે ઘણા વિભાગો અને એકમનોની 100થી વધારે ટીમ કામ કરી રહી છે. રાજ્યમાં વીજળી વિભાગને વધુને વધુ માનવ સંસાધનનો ઉપયોગ કરવા કહ્યું છે. જેથી તાત્કાલિક પ્રભાવિત વિસ્તારોમાં વીજળીને ફરી શરૂ કરવામાં આવી શકે.
પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું છે કે લૉકડાઉનને કારણે સેવાઓની પુન સ્થાપનામાં થોડી મુશ્કેલી આવી રહી છે. જોકે, હાલ પોલીસને હાઇ એલર્ટ પર રખાયું છે. નોંધનીય છે કે વાવાઝોડા અમ્ફાને પ.બંગાળમાં વિનાશ વેર્યો છે. આ વાવાઝોડામાં અત્યાર સુધીમાં 80થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. સંપત્તિનું કેટલુ નુકશાન થયું છે તેની ગણતરી હજુ બાકી છે.