પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને મુખ્યમંત્રી મમતા બેનરજી ફરી આમને સામને જોવા મળ્યાં છે. મમતા બેનરજીની સરકાર દ્વારા વિધાનસભા કાર્યવાહી અચાનક સ્થગિત કરી દેવામાં આવ્યા બાદ રાજ્યપાલ જગદીપ ધનખડ આજરોજ વિધાનસભા પહોંચ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં સરકાર અને રાજ્યપાલ આમને સામને
રાજ્યપાલ માટે વિધાનસભાના દરવાજા બંધ!
રાજ્યપાલે મમતા સરકાર પર સાધ્યું નિશાન
રાજ્યપાલ જ્યારે સચિવાલય પહોંચ્યા ત્યારે ગેટ બંધ હતો, જેને લઇને રાજ્યપાલ થોડા સમયમાં બહાર ઉભા રહ્યા. રાજ્યપાલ જ્યારે પૂછ્યું કે ગેટ બંધ કેમ છે? વિધાનસભા સ્થગિત કરવાનો મતલબ સદન બંધ થવું એમ નહીં.
જો કે થોડા સમય બાદ રાજ્યપાલ બીજા દરવાજાથી વિધાનસભાની અંદર પહોંચ્યા હતા. જો કે તેમણે કહ્યું કે જ્યારે હું અહીં આવ્યો ત્યારે રાજ્યપાલ અને અન્ય વીવીઆઇપી લોકો માટે દરવાજો બંધ હતો, પરંતુ બીજા દરવાજાના માધ્યમથી હું અંદર આવ્યો જે ખુલ્લો હતો. વિધાનસભા સચિવાલય આખુ વર્ષ ખુલ્લુ રાખવામાં આવે છે, વિધાનસભા સત્ર ન હોવાનો મતલબ એ નથી કે સચિવાલય બંધ છે.
ઉલ્લેખનીય છે ક મમતા સરકાર દ્વારા વિધાનસભાની કાર્યવાહી અચાનક સ્થગિત થવાનો આરોપ રાજ્યપાલ જગદીપ ધનખડ પર લગાવ્યાં બાદ રાજ્યપાલે જણાવ્યું હતું કે તેઓ રબ્બર સ્ટેમ્પ અને ન તો પોસ્ટ ઓફિસ છે.