પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થઈ રહી છે ત્યારે ભાજપે મિથુન ચક્રવર્તીને પાર્ટીમાં સામેલ કરીને જનતા સામે મોટો ચહેરો ઊભો કરવા પ્રયાસ કર્યો છે.
બંગાળમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું
મોદીજીની સભામાં ભીડ જોઈને પાગલ થઈ જશો છ : મિથુન
મારા ક્ષમતા હશે તો મને બનાવશે સીએમ : મિથુન
200 સીટો જીતવાનો ભાજપનો દાવો
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હાલમાં જ ભાજપમાં સામલે થયેલા નેતા મિથુન ચક્રવર્તી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં પોતાના દિગ્ગજ નેતાઑને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે બંગાળમાં આ વખતે પરિવર્તન થવા જઈ રહ્યું છે અને 200થી વધાર બેઠકો ભાજપને મળશે.
પીએમ મોદીની રેલીમાં ભીડ જોઈને પાગલ થઈ જશો : મિથુન
મિથુને કહ્યું કે હું રાજકારણમાં સેવા કરવા માટે આવ્યો છું. જો ચૂંટણી લડીશ તો લોકો કહેશે કે હું મારા સ્વાર્થ માટે આવ્યો છું. હું કોઈ પણ પોલિટિકલ કરિયર લઈને નથી આવ્યો. પત્રકારે પૂછ્યું કે ભાજપ પાસે કોઈ મોટો ચેહરો જ નથી, એટલે તમે કેમ્પેનર બનીને આવ્યા છો? તેના પર મિથુન ચક્રવર્તીએ કહ્યું કે લોકસભામાં 18 સીટો મળી ત્યારે હું હતો? પત્રકારે કહ્યું કે એ તો નરેન્દ્ર મોદીની દેન હતી. તેના પર મિથુને કહ્યું કે અત્યારે પણ મોદીજીની રેલીમાં ભીડ જોઈ છે? તમે પાગલ થઈ જશો.
તે બાદ પત્રકારે કટાક્ષ કરતાં કહ્યું કે 2016માં પણ આટલી જ ભીડ જોઈ હતી. ત્યારે મમતા બેનર્જી 211 બેઠકો જીતીને આવ્યા હતા. પત્રકારે કહ્યું કે મોદીજીનો કોઈ મુકાબલો નથી. જો તે અહિયાં મુખ્યમંત્રીનો ચેહરો બનીને આવે તો કદાચ બીજાની ડિપોઝિટ પણ જતી રહે.
જે ઉપરથી નક્કી થશે તે થશે : મિથુન ચક્રવર્તી
એવામાં એક કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તીને પત્રકારે પૂછ્યું કે જો તમને સીએમ બનવાનો મોકો મળશે તો શું કરશો? મિથુન ચક્રવર્તીએ જવાબ આપતા કહ્યું કે હું રાજકારણમાં કઈ લેવા નથી આવ્યો. મારી ઈચ્છાથી કઇં નહીં થાય, જે ઉપરથી ડીસાઇડ થશે એ જ થશે. બાદમાં તેમણે કહ્યું કે જો તેમને લાગે કે મારમાં ક્ષમતા છે તો હું બની પણ શકું.