પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન લોકસભા ચૂંટણી મુદ્દે મોટા સંકેત આપ્યા છે.
એક પગે બંગાળ, બે પગે દિલ્હી જીતીશ : મમતા
બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ : મમતા
આઠ ચરણમાં ચૂંટણીને લઈને પણ મમતાએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા ચૂંટણી માટે ધૂમ પ્રચાર કર્યો હતો ત્યારે આજે હુગલીમાં રેલી દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે તે એક પગથી બંગાળ જીતી જશે. મમતા બેનર્જીએ કહ્યું કે હું એક પગથી બંગાળ જીતીશ અને ભવિષ્યમાં બંને પગ પર દિલ્હીમાં જીત હાંસલ કરીશ.
બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ : મમતા
નોંધનીય છે કે ગઇકાલે જ મમતા બેનર્જીએ કહ્યું હતું કે ગુજરાતીઓ યુપી-બિહારથી ગુંડાઓ લાવીને બંગાળ પર કબજો કરવા માંગે છે. અમે બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ. ભાજપ અહિયાં આવીને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવા માંગે છે.
મમતાનો પગ ચૂંટણીમાં બન્યો મોટો મુદ્દો
નોંધનીય છે કે નંદીગ્રામમાં પ્રચાર દરમિયાન મમતા બેનર્જી ઘાયલ થઈ ગયા હતા તે બાદ તેઓ ઇજાગ્રસ્ત થયેલા પગ સાથે જ પ્રચાર કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેથી રાજ્યમાં મમતા બેનર્જીના પગને લઈને પણ ખૂબ રાજકારણ થઈ રહ્યું છે. મમતા બેનર્જી બધી જગ્યાએ વ્હીલચેર પર બેસીને પ્રચાર કરે છે. રોડ શૉ પણ વ્હીલચેર પર કરવામાં આવે છે તથા વ્હીલચેરથી જ તેઓ જનતાને સંબોધન કરે છે. એવામાં મમતા બેનર્જી હવે કહી રહ્યા છે કે તેઓ એક પગથી જ બંગાળ જીતી જશે.
મમતા બેનર્જીએ આ રેલીમાં રાજ્યમાં આઠ ચરણમાં ચૂંટણી મતદાન થવાનો વિરોધ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે આઠ ચરણોમાં ચૂંટણી કારવવાની જરૂર જ શું છે? આ ભાકપ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં શું થોડા સમયમાં જ ચૂંટણી ના કરવી જોઈએ?
આ પહેલા વારાણસીથી ચૂંટણીને લઈને પાર્ટીએ આપ્યા હતા સંકેત
આટલું જ નહીં આ પહેલા પણ મમતા બેનર્જી લોકસભા ચૂંટણીને લઈને સંકેત આપી ચૂક્યા છે. થોડા દિવસ અગાઉ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા એવું ટ્વિટ કરવામાં આવ્યું હતું કે જેથી સંકેત મળ્યા હતા કે વર્ષ 2024માં મમતા બેનર્જી વારાણસીથી ચૂંટણી લડશે. જેના પર પીએમ મોદીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે દીદી ત્યાં તો તિલકવાળા લોકો તમને ખૂબ મળશે.