કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા અઠવાડીયે પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. શાહનો આ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને ભાજપના રાજ્ય પ્રભારી કૈલાશ વિજયવર્ગીય પ્રવાસ પર હતા. આ દરમિયાન તેમની ગાડી પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપે દાવો કર્યો છે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ હુમલો કર્યો જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને નાટક ગણાવ્યું છે.
અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કેન્દ્ર સરકાર આને સંપૂર્ણ ગંભીરતાથી લઈ રહી છે
19 ડિસેમ્બરે કોલકત્તા પહોંચશે અને ત્યાં 20 ડિસેમ્બર સુધી રોકાશે
શાહે આ અંગે ચિંતા વ્યક્ત કરી જ્યારે મમતાએ નાટક ગણાવ્યું
19 ડિસેમ્બરે કોલકત્તા પહોંચશે અને ત્યાં 20 ડિસેમ્બર સુધી રોકાશે.
એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યાનુસાર શાહ 19 ડિસેમ્બરે કોલકત્તા પહોંચશે અને ત્યાં 20 ડિસેમ્બર સુધી રોકાશે. આવતા વર્ષે રાજયની વિધાનસભાની ચૂંટણીની વચ્ચે ટીએમસી અને ભાજપની વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રાલયના ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાની ‘સુરક્ષામાં બેદરકારી’ને લઈને પશ્ચિમ બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ સંબંધમાં રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સચિવે આ સંબંધમાં જવાબ દાખલ કરવાનો છે. પશ્ચિમ બંગાળ પ્રમુખ દિલીપ ઘોષ કોલકત્તામાં કહ્યું કે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના રાજ્યના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં બેદરકારી દાખવવામાં આવી છે. કાલે તેમના કાર્યક્રમમાં પોલીસની કોઈ હાજરી નહોંતી. મે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રશાસનને આ સંબંધમાં પત્ર લખ્યો છે.
આ રીતે થયો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે નડ્ડાનાં બંગાળ આગમને લઈને પ્રદર્શન કરી રહેલા લોકોએ ડાયમંડ હાર્બરથી પસાર થઈ રહેલા કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સાથે તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન નડ્ડાના કાફલામાં શામેલ ભાજપના મહા સચિવ કૈલાસ વિજયવર્ગીયની ગાડીનો કાચ પણ તુટી ગયો હતો. બન્ને નેતાઓ પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકને સંબોધિત કરવા માટે દક્ષિણ 24 પરગના જઈ રહ્યા હતા.
શાહે આ અંગે ચિંતા વ્યક્ત કરી જ્યારે મમતાએ નાટક ગણાવ્યું
ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હુમલાને નાટક ગણાવ્યું છે. બેનર્જીએ કોલકત્તામાં કહ્યું કે તે ‘તે (ભાજપા કાર્યકર્તા) દર રોજ હથિયારોની સાથે (રેલીઓ માટે) આવે છે. તે જાતે જ પોતાને થપ્પડ મારી રહ્યા છે અને તેનો આરોપ તૃણમુલ કોંગ્રેસ પર લગાવી રહ્યા છે. જરા સ્થિતિ વિશે વિચારો. તે બીએસએફ, સીઆરપીએફ, સેના અને સીઆઈએસએફની સાથે ફરી રહ્યા હોય .... તે પછી તમે આટલા ભયભીત કેમ છો.’
અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કેન્દ્ર સરકાર આને સંપૂર્ણ ગંભીરતાથી લઈ રહી છે
આ સાથે અમિત શાહે પોતાના ટ્વીટમાં કહ્યું કે તૃણમૂલના શાસનમાં બંગાળ અત્યાચાર, અરાજક્તા અને અંઘકારના યુગમાં જઈ ચૂક્યું છે. ટીએમસીના રાજમાં પશ્ચિમ બંગાળની અંદર જે રીતનું રાજનીતિક હિંસાને સંસ્થાગત કરી ચરમ સીમા પર પહોંચી ગયું છે તે લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા તમામ લોકો માટે દુઃખદ અને ચિંતાજનક પણ છે.’ તેમણે લખ્યું કે બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જીની ઉપર હુમલો બહું જ નિંદનીય છે. તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. કેન્દ્ર સરકાર આને સંપૂર્ણ ગંભીરતાથી લઈ રહી છે. બંગાળ સરકારને આ પ્રયોજિત હિંસા માટે પ્રદેશની શાંતિ પ્રિય જનતાને જવાબ આપવો પડશે.
આવતા વર્ષે છે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે પ.બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી રાજકારણ ગરમાયું છે. તમામ પાર્ટીઓ બંગાળ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. અમિત શાહ સહિતના નેતાઓના બંગાળ પ્રવાસ કોઈક ને કોઈક કારણો સર વધ્યા છે. દિવસેને દિવસે રાજકારણે ગરમાઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારી ઘટનાને કારણે રાજકીય પાર્ટીઓ આમને સામને નિવેદનબાજી શરુ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ ઘટના પગલે બંગાળ સરકાર શું કાર્યવાહી કરશે તેમજ કેન્દ્રને શું જવાબ મોકશે.