પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હડતાળ પર ગયેલા ડૉક્ટરોની તમામ માંગો માનતા તેમને ફરી કામ શરૂ કરવાની અપીલ કરી છે. તેમણે હિંસાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે આ મામલે તાત્કાલિક સમાધાન થઇ જશે.
મમતા બેનર્જીએ ડૉક્ટરોની બેઠક બોલાવી હતી, પરંતુ ડૉક્ટરોએ બેઠકમાં જવાનો ઇન્કાર કરી દીધો હતો. મમતાએ કહ્યું કે ડૉક્ટરોએ કાયદાકીય સંસ્થાઓનું સન્માન કરવું જોઇએ.
હાઇ લેવર મીટિંગ બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડૉક્ટરોને હડતાળ પૂર્ણ કરવા અને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. સીએમ મમતાએ આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે તેમની સરકાર હડતાળ વિરૂદ્ધ કોઇ કડક કાર્યવાહી નહીં કરે.
બેઠકમાં ન આવ્યા ડૉક્ટરઃ મમતા
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હડતાળ કરી રહેલા ડૉક્ટરો પર આરોપ લગાવ્યો છે કે સરકારે બોલાવવા પર પણ તે વાતચીત માટે નથી આવી રહ્યા જ્યારે સરકારે તેમની તમામ માંગો માની લીધી છે. તેમણે કહ્યું કે સરકાર હડતાળ વિરૂદ્ધ કોઇ કડક કાર્યવાહી નથી કરે. આ વચ્ચે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ મમતાને ચિઠ્ઠી મોકલીને ડૉક્ટરોની સુરક્ષા મજબૂત કરવાનું આશ્વાસન આપીને ડૉક્ટરોનો વિશ્વાસ જીતવાની અપીલ કરી છે.
West Bengal CM Mamata Banerjee: I appeal to all doctors to resume work as thousands of people are awaiting medical treatment. #DoctorStrikepic.twitter.com/0v8rDxuGFN
West Bengal Mamata Banerjee: We never arrested a single person. We will not take any police action. Health services cannot continue like this. I am not going to take any stringent action. Let good sense prevail. pic.twitter.com/AId3jOMkZ0
મમતાના મોદી સરકાર પર પ્રહાર
મોદી સરકાર પર હુમલો કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે પહેલા યોગી સરકારને ગૃહમંત્રાલય એડવાઇઝરી મોકલે, ત્યાં ઇન્કાઉન્ટરમાં કેટલા લોકો માર્યા ગયા છે? જણાવી દઇએ કે, ડૉક્ટરોની હડતાળ પર શનિવારે ગૃહ મંત્રાલયને પશ્ચિમ બંગાળ સરકારને એડવાઇઝરી રજૂ કરી હતી.
મમતાના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પર પ્રહાર
ડૉક્ટરોની હડતાળ મુદ્દે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પર પ્રહાર કર્યા હતા. તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને દેશના બાકીના ભાગોની ચિંતા કરવા કહ્યું છે. સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે. ઠીક છે.