દેશભરના તબીબો આજે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ગુજરાતના ભાણવડ અને જામજોધપુરના તબીબો લોકોની સેવા કરી રહ્યા છે. લોકોની સેવા કરવા માટે તબીબો હડતાળથી અળગા રહ્યા છે. હાલમાં તબીબો દ્વારા લોકોની 24 કલાક સારવાર કરવામાં આવી રહી છે.
મહત્વનુ છે કે, પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલા હુમલા બાદ દેશભરના તબીબોમાં રોષ જોવા મળ્યો. તબીબોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો. આજે દેશભરમાં OPDની સેવાઓ બંધ રાખવામાં આવી છે. લોકોને ઈમરજન્સી સેવા મળી રહે તે માટે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્યારે જામજોધપુર અને ભાણવડના હડતાળથી અળગા રહ્યા છે. આ ડોક્ટરને જોઈને ગુજરાતના બીજા જિલ્લાઓને ડૉકટરોએ પણ શીખ લેવાની જરૂર છે. ડૉક્ટરનું કામ લોકોની સેવા કરવાનું હોય છે, ત્યારે હડતાળ કરવામાં આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
રાજ્યભરના તબીબો હડતાળ પર
પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલા હુમલાને લઈને દેશભરના ડૉક્ટરમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના તમામ ડૉક્ટરો પણ હડતાળ પર ઉતર્યા છે. આજે રાજ્યભરમાં હડતાળને પગલે OPD સેવાઓ બંધ રાખવામાં આવી છે. જ્યારે ઈમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવી છે. આ હડતાળમાં વડોદરાના હોમિયોપેથિક ડૉક્ટરો જોડાયા છે. વડોદરાના 3 હજાર જેટલા ડૉક્ટરો જોડાયા છે.
સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડૉક્ટરો હડતાળ પર
તો બીજી તરફ સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડૉક્ટરો પણ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં રાજકોટમાં 1650 ડૉક્ટરો પણ જોડાયા છે. સાથે જ સુરતની સિવિલ અને સ્મિમરે હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. સુરતના 200 હોસ્પિટલના 4 હજાર જેટલા ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદમાં આવેલી GCS મેડિકલ હોસ્પિટલ ખાતે ડોકટરોએ પણ હડતાળ કરીને વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન તબીબોએ વી.વોન્ટ જસ્ટીસના નારા પણ લગાવ્યા હતા. હડતાળને પગલે સારવાર માટે આવતા દર્દીઓની હાલત કફોડી બની છે.