પશ્ચિમ બંગાળમાં છેલ્લા સાત દિવસોથી ચાલી રહેલ ડૉક્ટરોની હડતાળ આજે સમાપ્ત થઇ ગઇ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ ડૉક્ટરોએ હડતાળ પર લેવાનો નિર્ણય કર્યો છે.
મમતા બેનર્જીએ રાજ્યમાં તમામ સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની સુરક્ષા માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવા પોલીસને આદેશ આપ્યા છે. સાથે જ તેમણે અઠવાડિયાથી ચાલી રહેલ આ વિરોધનો અંત લાવવાના પ્રયાસમાં સોમવારે હડતાળ કરી રહેલા ડૉક્ટરો સાથે બેઠક કરી હતી.
Junior doctors of NRS hospital, Kolkata announce that they are calling off the strike. pic.twitter.com/OGVbtToORH
રાજ્ય સચિવાલયમાં આયોજિત એક બેઠકમાં ડૉક્ટરોના પ્રતિનિધિમંડળે બેનર્જીને મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં તેમને થઇ રહેલ સમસ્યાઓથી અવગત કર્યા હતા. બેનર્જીએ બેઠકમાં હાજર પોલીસ અધિકારીઓને ડૉક્ટરોની સુરક્ષા માટે રાજ્યની હોસ્પિટલો માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવા માટે કહ્યું. પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય સચિવ, એમઓએસ ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને રાજ્યના અન્યઅધિકારીઓ સિવાય 31 જૂનિયર ડૉક્ટર પણ બેઠકમાં હાજર રહ્યા હતા. રાજ્ય સરકારે બેઠકને કવર કરવા માટે બે સ્થાનિક સમાચાર ચેનલોને મંજૂરી આપી હતી.
મુખ્યમંત્રીએ હડતાળ કરી રહેલા ડૉક્ટરોને કહ્યું કે રાજ્ય સરકાર કોઇ પણ ડૉક્ટર વિરૂદ્ધ કેસ દાખલ નહીં કરે. જૂનિયર ડૉક્ટરોના સંયુક્ત મંચના પ્રતિનિધિઓએ 11 જૂને એનઆરએસ મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં ડૉક્ટરો પર થયેલ હુમલામાં સામેલ લોકો વિરૂદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવાની પણ માંગ કરી. બેનર્જીએ કહ્યું કે, રાજ્ય સરકારે યોગ્ય પગલા ભર્યા છે અને એનઆરએસ ઘટનામાં સામેલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
West Bengal: Chief Minister Mamata Banerjee's meeting with representatives of doctors was held at Nabanna, earlier today. She accepted the proposal of doctors to set up Grievance Redressal Cell in Government Hospitals. Doctors to announce their decision later. pic.twitter.com/zWbaZCXJ73