બુલબુલ વાવાઝોડું બાંગ્લાદેશ તરફથ આગળ વધતા પહેલા પ.બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાંથી થયેલ અંદાજિત નુકસાન 15,000 કરોડ રૂપિયાથી લઇને 19,000 કરોડ રૂપિયા વચ્ચે થઇ શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ મંગળવાર (12 નવેમ્બર)એ આ જાણકારી આપી હતી.
રાજ્યના અલગ અલગ ભાગોમાં 10 લોકોના મોત થયા
વિભાગોથી જમા રિપોર્ટ પર અંતરિમ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે
કેટલાક જિલ્લાઓમાં હજુ રિપોર્ટ પહોંચવો બાકી
જણાવી દઇએ કે વાવાઝોડાંએ શનિવાર (9 નવેમ્બર)ની અડધી રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કિનારાઓને પોતાની ઝપેટમાં લીધા. જેને લઇને 14 લોકોના મોત થયા. આનાથી અસરગ્રસ્ત રાજ્યના અલગ અલગ ભાગોમાં 10 લોકોના મોત થયા, જ્યારે 2.73 લાખ પરિવાર પ્રભાવિત થયા છે.
વિભાગોથી જમા રિપોર્ટ પર અંતરિમ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે
મામલે નિવેદન આપતા એક આઈએએસ અધિકારીએ જણાવ્યું કે વાવાઝોડાં પ્રભાવિત વિસ્તારોનો સર્વે કર્યા બાદ અલગ અલગ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાથમિક રિપોર્ટથી એક અંતરિમ અનુમાન તૈયાર કરવામાં આવ્યું છે. અંતિમ અનુમાન તે વિભાગો દ્વારા પોતાના રિપોર્ટ રજૂ કર્યા બાદ જ લગાવવામાં આવશે.
અધિકારીઓએ એમ પણ કહ્યું કે તબાહીને જોતા એવું કહી શકાય કે આનાથી મોટું નુકસાન થયું છે. પરંતુ સચોટ અનુમાન રિપોર્ટ મળ્યા બાદ જ જણાવી શકાશે.
કેટલાક જિલ્લાઓમાં હજુ રિપોર્ટ પહોંચવો બાકી
આઈએએસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક અનુમાનો અનુસાર, નુકસાન 15,000 કરોડ રૂપિયાથી 19,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ત્યારે ઉત્તર 24 સબડિવિઝન, દક્ષિણ 24 સબડિવિઝન અને પૂર્વી મિદનાપુર જિલ્લામાં નુકસાનની સમગ્ર રિપોર્ટ હજુ સુધી સચિવાલય નથી પહોંચી શકી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે મુખ્ય સચિવ રાજીવ સિન્હાએ મંગળવારે આની સમગ્ર રિપોર્ટ માંગી છે.