વડાપ્રધાન મોદીની દરેક મુદ્દા પર આલોચના કરનારમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી મોખરે રહે છે. અવારનવાર જાહેર મંચ પર પીએમ મોદીનો વિરોધ કરવા માટે મમતા બેનર્જી જાણીતા છે તથા વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જી વચ્ચે ઘણી વખતે વાકયુદ્ધ પણ જોવા મળે છે ત્યારે આ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે મુલાકાતની સંભાવાનાઓએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું છે.
PM મોદી અને મમતા બેનર્જી વચ્ચે થશે મુલાકાત
પશ્ચિમ બંગાળના કાયદો અને વ્યવસ્થા મુદ્દે થશ ચર્ચા
પશ્ચિમ બંગાળના કાયદો અને વ્યવસ્થા મુદ્દે થશે ચર્ચા
મુખ્યમંત્રી મમતા બુધવારે નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. રાજ્ય સચિવાલયની જાણકારી મુજબ મમતા બેનર્જી મંગળવારે નવી દિલ્હી માટે રવાના થશે. બે નેતાઓ વચ્ચે પશ્ચિમ બંગાળના કાયદો વ્યવસ્થા મુદ્દે ચર્ચા સંભવ છે.
બુધવારે PM મોદી અને મમતા બનર્જી વચ્ચે દિલ્હીમાં મુલાકાત
રાજ્ય સચિવાલયના એક અધિકારીએ જણાવ્યું કે,' બેઠક કરવા માટે ગયા અઠવાડીયે જ પીએમ મોદીના કાર્યાલયથી સમય માંગવામાં આવ્યો છે અને બુધવારે નવી દિલ્હીમાં બે નેતાઓ વચ્ચે મુલાકાત થશે