લોકસભાની ચૂંટણીનો ધમધમાટ પૂર્ણ થયો અને પરિણામો પણ આવી ગયા પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપ વચ્ચે ખેંચતાણ ઓછું થવાના બદલે વધારે ઉગ્રરૂપ ધારણ કરી રહ્યું છે. મમતા બેનરજીએ લોકસભાની ચૂંટણી બાદ EVM મુદ્દે કેટલાક સવાલો ઉભા કર્યા હતા. તેમણે અન્ય વિપક્ષી દળોને પણ અપીલ કરી છે કેમ તેઓ બેલેટ પેપર દ્વારા જ મતદાન કરાવવાને લઈને અવાજ ઉઠાવે.
West Bengal Chief Minster Mamata Banerjee: BJP is trying to spread fake news about West Bengal. TMC will campaign from door to door. Save democracy, we don't want EVMs, return to ballot. There should be a fact finding committee on EVMs. pic.twitter.com/CjNIxo7lQU
મમતાએ યોજી બેઠક
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજરોજ તૃણમુલ કોંગ્રેસનાં કેટલાક ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. જેમાં તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપનાં આક્રમક પ્રદર્શન ઉપરાંત તૃણમુલનાં નબળા પ્રદર્શન અંગે પણ ચર્ચા કરી હતી. બંગાળમાં રાજકીય સ્થિતી અને તૃણમુલનાં નબળા પ્રદર્શનની પણ ખાસ સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવેલ.
બાંગ્લાની ઓળખ પર અપાયું જોર
આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, બંગાળના સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની 200મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે. આપને જણાવી દઇએ કે, કોલકત્તામાં અમિત શાહની રેલી દરમિયાન ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તૂટી ગઇ હતી જેને લઇને TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
EVM નહીં બેલેટ પેપર આપો
મમતા બેનર્જીએ કહ્યું કે, અમારે EVM નથી જોઇતા, પરંતુ બેલેટ પેપરથી મતદાન થાય તેવું ઇચ્છીએ છીએ. તેમણે લોકતંત્રને બચાવવા માટે બેલેટ પેપર પાછા લાવવાની માગ કરી હતી. મમતા બેનર્જીએ કહ્યું કે, EVM વિરૂદ્ધ સમગ્ર દેશમાં તમામ રાજકીય પક્ષોના સહયોગથી તે ઘેર-ઘેર અભિયાન ચલાવશે. મમતાએ વધુમાં કહ્યું હતું કે, અમેરિકા પણ EVMને અલવિદા કહ્યું છે.