બીજી વાર વડાપ્રધાન પદની શપથ લેવા જઇ રહેલા નરેન્દ્ર મોદી સાથે રાજનીતિક લડાઇને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુબ જ આગળ લઇ જવાના મુડમાં છે. 30 મેના રોજ નરેન્દ્ર મોદી પીએમ પદના ફરી શપથ લેવા જઇ રહ્યા છે. જ્યારે 30 મે જ મમતા બેનર્જી ધરણા પર બેસવાના છે.
મમતા બેનર્જી ઉત્તર 24 પરગનાના નેહાટી નગરપાલિકા સામે ધરણા પર બેસશે. અહીં એ બતાવવું રસપ્રદ રહેશે કે નેહાટી નગરપાલિકાના કાઉન્સિલર પણ મંગળવારે ટીએમસીનો સાથ છોડીને બીજેપીમાં સામેલ થઇ ગયા હતા. રિપોર્ટ મુજબ મમતા બેનર્જી એ ટીએમસી કાર્યકર્તાઓના સમર્થનમાં ધરણા પર બેસશે જે ચૂંટણી દરમિયાન હિંસાને પગલે રસ્તા પર આવી ગયા.
નરેન્દ્ર મોદી દ્વાર શપથ ગ્રહણના દિવસે જ ધરણા પર બેસવાનું એલાન કરનારી મમતા બેનર્જીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકસભા ચૂંટણીની જંગમાં ભલે જ તે પાછળ રહી ગઇ હોય પરંતુ એ આ રાજનીતિક જંગથી પીછેહટ કરવાની નથી. મમતા બેનર્જીએ પોતાના ધરણાનું કારણ જોકે રાજનીતિક કાર્યકર્તાઓના રસ્તા પર આવવાનું બતાવ્યું હોય, પરંતુ તેમનો મૂળ ઉદ્દેશ ચૂંટણીમાં મળેલી હાર બાદ જનતાની સંવેદના મેળવવાનો છે.
આપને જણાવીએ કે મમતા બેનર્જીએ પહેલા નરેન્દ્ર મોદીની શપથગ્રહણ વિધિમાં સામેલ થવા પર સહમતિ આપી હતી, બાદમાં એમણે પોતાનો નિર્ણય બદલી નાંખ્યો હતો. મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીના શપથગ્રહણમાં ન આવવા પર બતાવ્યું કે બીજેપી જુઠ્ઠાણું પ્રચાર કરી રહી છે. કે પ.બંગાળમાં રાજનીતિક હિંસામાં બીજેપીના 54 કાર્યકર્તાઓના મોત થયા છે. મમતાએ કહ્યું કે એ પૂર્ણ રીતે ખોટુ છે, બંગાળમાં રાજનીતિક હત્યાઓ નથી થઇ. એમણે કહ્યું કે એ હત્યાઓ અંગત કારણોસર, પારિવારીક ઝઘડાનું પરિણામ હોય શકે છે. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ ન થવા પર મમતા બેનર્જીએ માફી માંગી હતી.