પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં હિંસા ભડવવા માટે કેટલાક લોકોને પૈસા આપવામાં આવ્યા. તેમણે રાજ્યની બહારની કેટલીક તાકાતોને તોડફોડ અને આગચંપીના જવાબદાર ગણાવ્યા.
આ કાયદાને લાગૂ કરવા માંગે છે તો તેમને મારી લાશ પરથી પસાર થવું પડશેઃ મમતા
હું ક્યારેય પણ નાગરિકતા સંશોધન કાયદાનો પશ્ચિમ બંગાળમાં લાગૂ નહીં કરવા દઉંઃ મમતા
મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું કે, જો તેઓ નાગરિકતા સંશોધન કાયદાને લાગૂ કરવા માંગે છે તો તેમને મારી લાશ પરથી પસાર થવું પડશે. અમારું વિરોધ પ્રદર્શન ત્યાં સુધી યથાવત્ રહેશે, જ્યાં સુધી સરકાર NCR અને નાગરિકતા કાયદો પરત ન લે.
West Bengal Chief Minister Mamata Banerjee in Kolkata: If you want to dismiss my government, you can, but I will never allow Citizenship Amendment Act (CAA) in Bengal. If they want to implement CAA, they will have to do it over my dead body. https://t.co/q0wEIdUnu9
મમતા બેનર્જીએ એક અન્ય ટ્વીટ કર્યું, અહીં ફોડી નાખો અને રાજ કરોની નીતિ કેમ અપનાવાય રહી છે? કેટલાક લોકો નફરતની રાજનીતિ કરી રહ્યા છે, હું તેમની સામે ઝુકનારી નથી. મને વિશ્વાસ છે કે આ પ્રકારે રાજનીતિ કરનારા લોકો પોતાના ઇરાદાઓમાં સફળ નહીં થઇ શકે. તેઓ એક દિવસ સત્તા વિહોણા થઇ જશે.
West Bengal CM Mamata Banerjee in Kolkata: Why will there be divide&rule policy? Why will there be hatred? I am not going to bow down before hatred politics. I am confident people who believe in hatred politics will go out, &we the people who love this country will stay here. pic.twitter.com/mtw3d47H5K
મમતા બેનર્જીએ કહ્યું કે જો તમે મારી સરકારને બરતરફ કરવા માંગો તો કરી દો, પરંતુ હું ક્યારેય પણ નાગરિકતા સંશોધન કાયદાનો પશ્ચિમ બંગાળમાં લાગૂ નહીં કરવા દઉં.