પ્રશ્ચિમ બંગાળના મુંખ્યમંત્રી મમતા બેનર્જી સોમવારે પીએમ મોદી સાથેની વીડિયો કોન્ફરન્સિંગ મીટિંગને લઇને નારાજ લાગી રહ્યા છે. તેમના અનુસાર, ''આ મીટિંગથી બંગાળને કંઇ નથી મળી રહ્યુ ખાલી હાથે જ પરત ફરવુ પડે છે. રાજ્યને હજુ સુધી વિત્તીય સહયોગ નથી મળ્યો જેટલાના તેઓ હકદાર છે''
સીએમ મમતા બેનર્જીએ મંગળવારે રાજ્યના અધિકારીઓ સાથે વાતચીત કરી. મમતા બેનર્જી અનુસાર, રાજ્યના લોકોને લૉકડાઉનને કારણે વધારે સમસ્યા થઇ કારણ કે 25 માર્ચના કોઇ પણ તૈયારી વગર તેની જાહેરાત કરવામાં આવી. મમતા બેનર્જીએ મીટિંગ પછી કેન્દ્ર પર ઘણા આરોપ લગાવતા કહ્યુ કે, ''પ્રશ્ચિમ બંગાળને કેન્દ્ર સરકાર દ્વારા રાજનીિતક લાભ પ્રાપ્ત કરવાને લઇને ટાર્ગેટ કરવામાં આવે છે. કોરોના વાયરસને લઇને મારા રાજ્યને રાજનીતિક રૂપથી નિશાનો સાધવામાં આવી રહ્યો છે.''
જે મળવુ જોઇએ તે નથી મળતુ
પીએમ મોદીની મુખ્યમંત્રી સાથે થયેલી મીટિંગને લઇને પ્રશ્ચિમ બંગાળના સીએમે કહ્યુ કે, ''મેં મીટિંગ દરમિયાન પ્રધાનમંત્રીની સામે ઘણા મુદ્દાઓ મુક્યા પરંતુ મને કહેવુ પડશએ કે, પીએમ મોદી સાથે થયેલી મીટિંગ પછી સતત ખાલી હાથે પરત ફરવુ પડે છે. અમને જેના હકદાર છીએ તે હજુ સુધી મળ્યુ નથી.''
કોરોનાથી નહી મળે જલ્દી છૂટકારો
રાજ્યમાં કોરોના મહામારીને ઉલ્લેખ કરતા દીદીએ કહ્યુ કે, ''એમ ના સમજો કે નજીકના ભવિષ્યમાં covid 19 ને લઇને છૂટકારો મળશે. સ્થિતિને પહોંચી વળવા માટે હજુ ઓછામાં ઓછો 3 મહિનાની રણનીતિ બનાવવી પડશે.'' આ સિવાય મમતા બેનર્જીની વાત પરથી સંકેત પણ મળી રહ્યા છે કે, રાજ્યમાં કોરોનાના સૌથી વધારે પ્રભાવિત રેડ ઝોનમાં પણ છૂટછાટ આપવામાં આવી શકે છે.
રેડ ઝોનને લઇને મમતાએ કહ્યુ કે, ''આ રેડ ઝોનને આગળ 3 કેટેગરીમાં વહેંચવામાં આવશે. જે વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાં નથી આવતા ત્યાં 100 દિવસ માટે કાર્યયોજના શરૂ કરવાની પગલા ઉઠાવવામાં આવશે.''
ભારતીય મૂળના ડોક્ટરનો મમતાને પત્ર- તકેદારીના તમામ પગલા લો
ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના અમેરિકા સ્થિત કાર્ડિયોલોજિસ્ટ ડો.ઇન્દ્રનીલ બાસુ રેએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોરોના વાયરસ અંગે એક પત્ર લખ્યો છે. આમાં રેએ મમતાને રાજ્યમાં વધતા કોરોના ઇન્ફેક્શનના કેસોમાં જાગૃત રહેવાની સલાહ આપી હતી. તેમણે મુખ્યમંત્રીને પશ્ચિમ બંગાળમાં રોગચાળો રોકવા માટે જરૂરી અને સાવચેતીનાં પગલાં ભરવા જણાવ્યું હતું.