ચૂંટણી પંચની નોટીસ મળ્યાં બાદ બંગાળના સીએમ મમતા બેનરજીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી તો દરરોજ હિંદુ-મુસ્લિમ કરે છે તેમને કેટલી નોટીસ મોકવામાં આવી.
10 નોટીસ આપશો તો પણ ડરવાની નથી-મમતા બેનરજી
મોદી તો દરરોજ હિંદુ-મુસ્લિમ કરે છે
તેમને કેટલી નોટીસ મોકવામાં આવી.
બંગાળના દામજૂરની ચૂંટણી રેલીમાં મમતાએ કહ્યું કે મારી સામે ભલેને 10 નોટીસ જારી કરવામાં આવતી હોય પરંતુ હું અપીલ કરતી રહીશ કે જોજો વોટ વિભાજીત ન થવા દેતા. બધા એકજૂટ થઈને મતદાન કરજો. મમતાએ સવાલ કર્યો કે એ લોકોની સામે કેટલીક ફરિયાદ નોંધાઈ જેમણે નંદીગ્રામમાં મુસલમાનોને પાકિસ્તાની ગણાવ્યાં હતા. શું તેમને શરમ આવે છે. હું હિંદુઓ, મુસલમાનો, શીખો, ખ્રિસ્તીઓ અને આદિવાસીઓની સાથે છું. નરેન્દ્ર મોદીની સામે કેટલીક ફરિયાદો નોંધાઈ. તેઓ તો દરરોજ હિંદુ-મુસ્લિમ કર્યા કરે છે.
મમતા સામે મુસ્લિમ સમૂદાય પાસેથી વોટ માંગવાનો આરોપ
મમતા સામે મુસ્લિમ સમૂદાય પાસેથી વોટ માંગવાનો આરોપ છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યું. ભાજપના પ્રતિનિધિમંડળે પંચના અધિકારીઓને મમતા બેનરજીની ફરિયાદ કરી.
ફરિયાદમાં મમતા બેનરજી સામે એવો આરોપ કરાયો છે કે તેમણે હુગલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ મતદાતાઓને એકજૂટ થઈને ટીએમસીના પક્ષમાં વોટ નાખવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચે પણ ભાજપની આ ફરિયાદ પર ઘટતું કરવાની ખાતરી આપીને તાત્કાલિક કાર્યવાહી કરી.
ભાજપની ફરિયાદ મળ્યાં બાદ ચૂંટણી પંચે મમતાને નોટીસ આપી તથા 48 કલાકમાં તેમની પાસેથી આનો ખુલાસો માંગ્યો છે.
ચૂંટણી પંચને મળ્યા બાદ નકવીએ મીડિયાને જણાવ્યું કે બંગાળમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે. મમતા બેનરજીએ મુસ્લિમોને એકજૂટ થઈને ટીએમસીને મત આપવાની અપીલ કરી હતી. અમે ચૂંટણી પંચને વિનંતી કરી કે મમતાની સામે કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે.
આ છે મામલો
હુગલીના તારકેશ્વરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા મમતા બેનરજીએ મુસ્લિમોને આઈએસએફ અને ઓવૈસીની પાર્ટીની અપીલ ન સાંભળવાનું તથા તેમને વોટ ન આપવાની અપીલ કરી હતી. મમતાએ લોકોને એવું પણ કહ્યું હતું કે જો ભાજપ સત્તા પર આવશે તો બંગાળ ગંભીર ખતરામાં આવી પડશે. મમતાએ મુસ્લિમોને એકજૂટ થઈને ટીએમસીને મત આપવાની અપીલ કરી હતી. મમતાની આ વાતને પકડી લઈને ભાજપ ચૂંટણી પંચમાં પહોંચ્યો અને મમતા સામે ફરિયાદ કરી.