પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે એક પત્રકાર પરિષદને સંબોધન કરીને મોટી જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં 7 નવા જિલ્લા અને મંત્રીમંડળ વિસ્તરણની વાત કહી છે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મોટી જાહેરાત
બંગાળમાં 7 નવા જિલ્લાની કરી જાહેરાત
મંત્રીમંડળમાં 3 નવા ચહેરાના સ્થાન આપશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેટલીય મોટી જાહેરાતો કરી છે. સીએમ બેનર્જીએ રાજ્યમાં 7 નવા જિલ્લા બનાવાની જાહેરાત કરી છે. પહેલા બંગાળમાં 23 જિલ્લા હતા, જે હવે વધીને 30 થઈ જશે. 7 નવા જિલ્લામાં સામેલ છે- સુંદરબન, ઈછેમતી, રાણાઘાટ, વિષ્ણુપુર, જંગીપુર, બેહરામપુર અને અન્ય એક જિલ્લાનું નામ બશીરહાટ રાખવામાં આવ્યું છે.
મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપશે
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, મંત્રીમંડળ વિસ્તરણની યોજના પણ છે અને 4-5 નવા ચહેરા સામેલ કરી શકે છે. કેટલાય વિભાગ મંત્રી વિના કામ કરી રહ્યા છે, હું બધી જવાબદારી નિભાવી શકું નહીં. સમગ્ર મંત્રાલયને ભંગ કરીને એક નવા મંત્રીમંડળની યોજના નથી.સુબ્રત મુખર્જી, સાધન પાંડે હાલમાં અમારી સાથે નથી. પાર્થ જેલમાં છે. એટલા માટે તેનું બધું કામ કરવાનું થાય છે.
મોટા ઉલટફેર નહીં, પણ નવા ચહેરા સામેલ કરશે
મમતા બેનર્જીએ આગળ કહ્યું છે કે, અમે 4-5 મંત્રીઓને કામે લગાડીશું અને 3-4 નવા લોકોને લાવીશું. તેની સાથે જ તેમણે કહ્યું કે, પરમદિવસે કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવશે. બંગાળના સીએમ પ્રેસ ક્રોંન્ફ્રેંસ દરમિયાન રાજ્યમાં સાત નવા જિલ્લાની પણ જાહેરાત કરી હતી. કેબિનેટમાં ફેરબદલ પર તેમણે કહ્યું કે, કોઈ મોટો ઉલટફેર નથી, પણ નાનો એવો બદલાવ આવશે.
વિપક્ષના નેતાએ મમતા સરકાર પર કર્યા પ્રહાર
પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ સવાલ કર્યો હતો કે, કથિત સ્કૂલ નોકરી કૌભાંડના કારણે ઈડી દ્વારા ધરપકડ થયા હોવા છતાં પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા પાર્થ ચટર્જીને મંત્રી તરીકે ચાલુ રાખ્યા છે. અધિકારીએ રાજભવનમાં રાજ્યપાલ સાથે મળીને પાર્થ ચટર્જીને મંત્રી પદેથી હટાવાની માગ કરી છે.