કોરોના મહામારીમાં બીજી લહેરના તૈયારીના ભાગરૂપે મમતાએ કેન્દ્ર સરકાર પર ફરી નિશાન સાધ્યું છે અને કહ્યું કે ભાજપે શું કર્યું? તે લોકો જ બીજી લહેર માટે જવાબદાર છે.
જેપી નડ્ડા દ્વારા આપેલ નિવેદન પર મમતા ભડક્યા
ભાજપ જ મોટી બીમારી છે
બીજી લહેર માટે મોદી સરકાર જવાબદાર
જેપી નડ્ડા દ્વારા આપેલ નિવેદન પર મમતા ભડક્યા
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓને લઈ એકબીજા પર આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. એ પછી કોઈ રાજનીતિ હોય, કે પછી સ્વાસ્થ્યનો મુદ્દો. બંને પક્ષ એકબીજા પર નિશાન સાધવાના કોઈ પણ મોકો નથી છોડતા. આવો જ એક પ્રહાર મમતા બેનર્જીએ પ્રેસ કોનફેરેન્સમાં કર્યો. જ્યાં કોરોના વાયરસની વેક્સિનને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને જેપી નડ્ડા દ્વારા આપેલ નિવેદન પર તેઓ એકદમ ભડકી ગયા હતા. સાથે જ કોરોના વાયરસની બીજી લહેર માટે ભાજપ સરકારને જ જવાબદાર ઠેરવી હતી.
ભાજપ જ મોટી બીમારી છે
આખી આ વાત એવી છે કે મમતા બેનર્જીની પ્રેસ કોનફેરેન્સમાં એક રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે " ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા રસીકરણને લઈને વિપક્ષ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે વિપક્ષ વેક્સિન પર રાજનીતિ કરી રહ્યું છે, હવે તો તે લોકો પણ વેક્સિન લેવામાં લાગી ગયા છે"
બીજી લહેર માટે મોદી સરકાર જવાબદાર
આ વાત પર મમતા બેનર્જી ભડકી ઉઠયા હતા અને કહ્યું કે "મને ખબર નથી પડી રહી કે શું લેવા જે પી નડ્ડા આવી વાતો કરી રહ્યા છે? શું તે લોકોને ખબર પણ છે કે તેમની લાપરવાહીને કારણે જ અને બંગાળની રાજનીતિ અને ચૂંટણીમાં તે લોકોને રસ હોવાને કારણે જ આહાલત થઈ છે. બંગાળમાં ચૂંટણી થઈ ગયા બાદ પણ બંગાળને તોડવાના પ્રયાસો ચાલુ હતા. વધુમાં તેમણે કહ્યું કે 6 થી 8 મહિનાથી તેમણે શું કર્યું છે? એ લોકો જ બીજી લહેર માટે જવાબદાર છે. બીજી લહેરમાં પણ તે લોકોએ રાજ્યોને સરખી રીતે વેક્સિન પણ ના આપી. ગુજરાતમાં અને ભાજપ શાસિત રાજ્યોમાં વેક્સિન સારી રીતે આપવામાં આવી અને પાર્ટીના કાર્યાલય પરથી વેક્સિન આપવામાં આવી રહી હતી. પણ બીજા રાજ્યોને વેક્સિન બરાબર રીતે આપવામાં ન આવી. એ લોકોએ અમને શું આપ્યું?