ધર્મના નામે આ સ્કૂલમાં ક્રૂરતા આચરવામાં આવે છે. શ્રીરામના નામ પર કોઇ પણ બાળકને નિર્દય રીતે માર મારવો એ કોઇ પણ માપદંડ અનુસાર યોગ્ય નથી. બાળકે જણાવ્યું હતું કે ગુરુવારે વર્ગો પૂરા થયા બાદ કલાસમાં તેના મિત્રો તેને જયશ્રી રામનો નારો લગાવવા કહેતા હતા. આ બાળકે નિર્દોષ ભાવે મિત્રોની વાત માનીને જયશ્રીરામનો નારો લગાવ્યો હતો. પરંતુ આ બાળકને ખબર ન હતી કે મમતાની રાજનીતિ હવે પ.બંગાળની સ્કૂલમાં પણ લાગુ પાડી દેવાઇ છે.
કોલકાતાઃ મમતા બેનરજીનાં પશ્ચિમ બંગાળમાં અગાઉ જયશ્રીરામ બોલનાર લોકો સાથે મારપીટ કરાતી હતી અને હવે નાનાં નાનાં માસૂમ બાળકોને પણ છોડવામાં આવતાં નથી. એક શિક્ષકે ધો.૧માં અભ્યાસ કરનાર એક બાળકની નિર્દય રીતે મારપીટ એટલા માટે કરી કારણ કે આ બાળકે કલાસમાં જયશ્રી રામ એવા શબ્દો ઉચ્ચાર્યા હતા. નિર્દય રીતે મારપીટનો ભોગ બનનાર આ બાળક હવે શાળાએ જતાં પણ ડરે છે. આ ઘટના મધ્ય હાવરા સ્થિત શ્રીરામ કૃષ્ણ શિક્ષાલય નામની સ્કૂલની છે.
ધર્મના નામે આ સ્કૂલમાં ક્રૂરતા આચરવામાં આવે છે. શ્રીરામના નામ પર કોઇ પણ બાળકને નિર્દય રીતે માર મારવો એ કોઇ પણ માપદંડ અનુસાર યોગ્ય નથી. બાળકે જણાવ્યું હતું કે ગુરુવારે વર્ગો પૂરા થયા બાદ કલાસમાં તેના મિત્રો તેને જયશ્રી રામનો નારો લગાવવા કહેતા હતા. આ બાળકે નિર્દોષ ભાવે મિત્રોની વાત માનીને જયશ્રીરામનો નારો લગાવ્યો હતો. પરંતુ આ બાળકને ખબર ન હતી કે મમતાની રાજનીતિ હવે પ.બંગાળની સ્કૂલમાં પણ લાગુ પાડી દેવાઇ છે.
શિક્ષકે જયશ્રીરામ બોલનાર આ બાળકના વાળ પકડીને તેની સતત મારપીટ કરી હતી. બાળકને સ્કૂલમાં અભ્યાસ કરાવવાનો હોવાથી બાળકના પિતાએ આ અંગે કોઇ ફરિયાદ કરી ન હતી. પોલીસ સુધી પણ આ મામલો પહોંચ્યો ન હતો કે શાળાના આચાર્યને પણ ફરિયાદ કરી ન હતી. જે રાજ્યના મુખ્યપ્રધાન જયશ્રીરામનો નારો સાંભળીને ભડકી જતા હોય અને ખુલ્લેઆમ જેલમાં મોકલવાની ધમકી આપતા હોય તે રાજ્યમાં એક લાચાર પિતા આખરે કોને ફરિયાદ કરે. આમ પ.બંગાળમાં હવે બાળકો ભગવાનનું નામ પણ લઇ શકતા નથી.