પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારનાં રોજ દીધાનાં દત્તપુર ગામમાં એક દુકાન પર સ્થાનીય લોકો માટે ચા બનાવી અને તેને વહેંચી પણ. બેનર્જીએ ટ્વિટર પર વીડિયો પણ શેર કર્યો. જેમાં તેઓ સ્થાનીય લોકોથી ઘેરાયેલા જોવાં મળે છે. તેઓ ત્યાં દુકાન પર ચા બનાવતા અને તેઓ લોકોને ચા વહેંચતા પણ જોવા મળ્યાં.
બેનર્જીએ (Mamata Banerjee) વીડિયોની સાથે સાથે એમ પણ લખ્યું કે, 'ક્યારેક-ક્યારેક જીવનમાં નાની નાની ખુશીઓ આપણને ખુશ કરી નાખે છે. એમાં સારી ચા (tea) બનાવવી અને તેને વહેંચવી એ આમાંથી જ એક છે.' તેમનાં દ્વારા શેર કરવામાં આવેલ એક અન્ય વીડિયોમાં બેનર્જીએ વિસ્તારનાં કેટલાંક સ્થાનીક લોકો સાથે વાતચીત કરતા પણ જોઇ શકાય છે. એમ પણ સાથે સાથે લખ્યું કે, 'કેટલોક સમય દીધાનાં દત્તપુર ગામનાં સ્થાનીય લોકો સાથે વાતચીત કરી.'
હકીકતમાં, તેઓ જ્યારે અહીં પહોંચ્યા તો તેમને જોઇને સૌ કોઇ લોકો હેરાન થઇ ગયા હતાં. ત્યાર બાદ તેમણે લોકો સાથે વાતચીત શરૂ કરી અને જોતજોતામાં જ ચાની કીટલી સાથે તેઓ પહોંચી ગયાં. ચા બનાવતા પહેલા તેઓએ ત્યાં એક નાના બાળકને પણ ગોદમાં લઇ લીધું હતું અને તેને થોડાંક સમય સુધી કંઇક ખવડાવ્યું. મમતા બેનર્જી આ દરમ્યાન તેને રમાડતા પણ જોવાં મળ્યાં.
Sometimes the little joys in life can make us happy. Making and sharing some nice tea (cha/chai) is one of them. Today, in Duttapur, Digha | কখনো জীবনের ছোট ছোট মুহূর্ত আমাদের বিশেষ আনন্দ দেয়। চা বানিয়ে খাওয়ানো তারমধ্যে একটা। আজ দীঘার দত্তপুরে। #Banglapic.twitter.com/cC1Bo0GuYy
તમને જણાવી દઇએ કે આજકાલ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા લોકોને માટે ફરિયાદો સાથે સરકાર સુધી પહોંચીને સુલભ બનાવવા માટે 'દીદી કે બોલો' હેલ્પલાઇન શરૂ કરવામાં આવી. 'દીદી કે બોલો' હેલ્પલાઇન શરૂઆતનાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનાં મગજની ઉપજ છે. એવામાં મમતા પણ લોકોની વચ્ચે પહોંચીને તેમની સાથે સંપર્ક સાધવાની કોશિશમાં જોડાયેલ છે.