છઠ્ઠા તબક્કાની ચૂંટણીનું મતદાન પહેલા બંગાળમાં 3 જગ્યાઓ પર બોંબ ફેંકવાની ઘટના સામે આવતા ફરી તણાવનો માહોલ બનેલો છે.
આજે છઠ્ઠા તબક્કાની ચૂંટણીનું મતદાન થવાનું છે
બોંબ ફેંકવાની ઘટના સામે આવતા ફરી તણાવનો માહોલ
રાજ્યમાં 3 જગ્યાઓ પર બોંબ ફેંકવાની ઘટના સામે આવી
બોંબ ફેંકવાની ઘટના સામે આવતા ફરી તણાવનો માહોલ
પશ્ચિમ બંગાળમાં ગુરુવારે (22 એપ્રિલ) એટલે કે આજે છઠ્ઠા તબક્કાની ચૂંટણીનું મતદાન થવાનું છે. પરંતુ આ પહેલા મંગળવારે રાજ્યમાં 3 જગ્યાઓ પર બોંબ ફેંકવાની ઘટના સામે આવતા ફરી તણાવનો માહોલ બનેલો છે. જાણકારી મુજબ 3 ઘટાનાઓએ મતદાન વિસ્તારમાં બની છે જ્યાં ગુરુવારે વોટિંગ થવાનું છે. વિસ્ફોટના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે.
ટીટાગઢ
ઉત્તર 24 પરગના જિલ્લા અંતર્ગત આવેલા ટીટાગઢમાં મંગળવારે રાતે એક ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ક્રુડ બોંબ ફેંકાયો. ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળ પર દોડી ગઈ અને કાટમાળ નીચે દબાયેલા 2 વ્યક્તિઓને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં 28 વર્ષીય રાજકિશોર જાદવનું મોત થયુ હતુ. ત્યારે બીજા ઘાયલ વ્યક્તિને કોલકત્તા હોસ્પિટલમાં રિફર કરાયો છે.
બેરકપુર
ટીટાગઢમાં જ એક અન્ય ઘટનામાં મંગળવારે રાતે ઉપદ્રવિઓએ શહેરમાં એનજેએમસી જૂટ મિલ વિસ્તારમાં કથિત રીતે કાચો બોંબ ફેંક્યો. ટીટાગઢ બેરકપુર વિધાનસભા વિસ્તાર અંતર્ગત આવે છે. આ વિસ્તાર ભાજપના નેતા સંતોષ જેનાના ઘરની નજીક છે. પોલીસે બુધવારે અહીંથી 2 જીવતા ક્રુડ બોમ્બ શોધ્યા અને આ 2 ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે.
જગતદળ
બોમ ફુટવાની વધુ એક ઘટના મંગળવારે રાતે લગભગ એક વાગ્યે ભાટાપારામાં બની. આ એક નગરપાલિકા છે જે જગતદળ વિધાનસભા વિસ્તાર અંતર્ગત આવે છે. આ વિસ્તાર ભાજપના સાંસદ અર્જુન સિંહનો ગઢ છે. ત્યારે પહેલા સત્તારુઢ અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ના સભ્ય હતા. અહીં પોલીસને કોઈ બોમ્બ ન મળ્યો. સ્થાનીય લોકોનો આરોપ છે કે આમાં ભાજપનો હાથ છે. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટી ગુરુવારે મતદાન કરતા સમયે મત નાંખતા રોકવા અને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ ઘટનાઓ બાદ ટીટાગઢ અને જગતદળમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે બેરકપુરમાં ફિલ્મ નિર્માતા રાજ ચક્રવર્તી ટીએમસીના ઉમેદવાર છે.