પ.બંગાળમાં બીજેપીનો સત્તા સંઘર્ષ સતત વધી રહ્યો છે. મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ બીજેપી સતત વિરોધ પ્રદર્શન દ્વારા રાજ્યમાં પોતાની જમીન મજબૂત કરતી જઇ રહી છે. જેનું પરિણામ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળી ચૂક્યું છે. તેથી આ સંઘર્ષને બીજેપી 2021 સુધી ચાલુ રાખવા માંગે છે.
પ.બંગાળમાં 2019ના ચૂંટણી પરિણામો પર એક નજર નાંખીએ તો, જાણવા મળે છે કે ત્રણ વર્ષ પહેલા 2016ના વિધાન સભા ચૂંટણીમાં બીજેપીએ માત્ર 10 ટકા વોટ મળ્યા હતા પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં વોટ ટકાવારી વધીને 40.25 ટકા થઇ ગઇ છે. જ્યારે 2016માં 45 ટકા વોટ મેળવનારી મમતા બેનર્જીની પાર્ટીના વોટની ટકાવારી 43.28 ટકા રહી ગઇ છે.
અહીં સ્થિતિ સ્પષ્ટ છે કે બીજેપીએ પશ્ચિમ બંગાળમાં જબરદસ્ત ધ્રુવીકરણની રાજનીતિ કરી છે. આ દરમિયાન કોંગ્રેસ અને વામપંથી પાર્ટીઓએ પણ અનુકુળ હવા બનાવવા માટે બીજેપીની મદદ કરી.
2014ની ચૂંટણીમાં આ બંનેના વોટ શેરને જોડવામાં આવે તો તે 39 ટકા હતો. પરંતુ 2019માં ઘટીને માત્ર 13 ટકા થઇ ગયો. એનો મતલબ કે આ વોટ બીજેપી તરફ સ્થાળાંતર થયા. 2014માં રાજ્યમાં બીજેપીને 17.2 ટકા વોટ મળ્યા હતા જ્યારે 2019માં વધીને 40.25 ટકા થઇ ગયા. એટલે કે 2014ની તુલનામાં બીજેપીએ લગભગ 23 ટકા વોટનો ફાયદો થયો છે. અને 2016ના મુકાબલે 30 ટકાનો વધારો સૂચવે છે.
એમા કોઇ શંકાને સ્થાન નથી કે બીજેપીએ વોટ ટકાવારી વધારવા માટે ન માત્ર હિન્દુ મતદાતાઓનું ધ્રુવીકરણ કર્યું પરંતુ મમતા બેનર્જીની છબિ હિન્દુ વિરોધી અને મુસ્લિમ હિતેષુ રાજનેતા રૂપે બનાવી. સોશિયલ મીડિયામાં બીજેપીએ મમતા બેનર્જી વિરુદ્ધ જબરદસ્ત કેમ્પેનિંગ કર્યું.