TMC નેતાની હત્યા બાદ બંગાળના બીરભૂમના બોગતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દેવાતા 10 લોકોના મોત થયા છે તો 38 લોકો ઘાયલ થયા છે.
બંગાળ એક વાર ફરી ભડકે બળતા 10ના મોત તો 38 લોકો ઘાયલ
TMCના વડાની હત્યા બાદ બીરભૂમના બોગતુઈ ગામમાં એક ડઝન ઘરોને આગચંપી
આગની આ ઘટનામાં 40 ઘરો બળીને ખાખ થઈ ગયા
બંગાળ એક વાર ફરી ભડકે બળ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડાની હત્યા બાદ કેટલાંક લોકોએ ગઈ કાલે રાત્રે બીરભૂમના રામપુરહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બોગતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી. આ આગમાં દાઝી જવાથી 10 લોકોના મોત થયા હતાં તો અન્ય 38 લોકો ઘાયલ હોવાનું કહેવાઇ રહ્યું છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આગની આ ઘટનામાં 40 ઘરો બળીને ખાખ થઈ ગયા હતાં જે હવે સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રામપુરહાટ શહેરની સીમમાં આવેલા બોગાતુઈ ગામમાં ઘરોમાંથી અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યાં છે. જો કે ફાયર બ્રિગેડના એક અધિકારીએ એવો દાવો કર્યો છે કે ઘટનાસ્થળેથી 10 બળી ગયેલા મૃતદેહો મળી આવ્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે, બરશાલ ગામના પંચાયતના ઉપપ્રમુખ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા ભાદુ શેખનો મૃતદેહ સોમવારે આ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસ આ મામલે વિગતવાર તપાસ કરી રહી છે.
West Bengal | Around 10-12 houses were set on fire last night. A total of 10 dead bodies have been recovered, 7 dead bodies were retrieved from a single house: Fire officials on death of several people after a mob allegedly set houses on fire and killed a TMC leader in Birbhum. pic.twitter.com/KOW2ldlCgy
સ્થાનિક સૂત્રોના જણાવ્યાં અનુસાર, આ ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્દેશ પર મંત્રી ફિરહાદ હકીમની આગેવાનીમાં ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ રામપુરહાટ હત્યાકાંડની સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઘટનાસ્થળે જવા રવાના થઇ ગયું છે. આ મામલાની ગંભીરતાને જોતા સીએમ ઓફિસના નિર્દેશ પર CIDની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની SIT ટીમની રચના કરવામાં આવી.
રામપુરહાટમાં તૃણમૂલ નેતાની હત્યા બાદ ટોળાંએ કથિત રીતે ઘરોને આગ લગાડ્યા બાદ અનેક લોકોના મોત પર ફાયર બ્રિગેડ ઓફિસરનું કહેવું છે કે, આ ઘટના ગઈ કાલે રાત્રે બની હતી. જેમાં 10થી 12 ઘરો બળીને ખાખ થઈ ગયા હતાં જેમાં કુલ 10 લોકોનાં મોત થયા હતાં. એક જ ઘરમાંથી 7 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યાં.
બંગાળ વિધાનસભામાં હંગામો
બીરભૂમના રામપુરહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બોગતુઈ ગામમાં બનેલી આ ઘટનાને લઈને વિપક્ષે બંગાળ વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો. ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને આ મામલે જવાબ પણ માંગ્યો.