બંગાળ વિધાનસભા ચૂંટણી વચ્ચે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના રાજનીતિમાં એન્ટ્રીની અટકળો તેજ બની છે. આ અંગે તેમણે જવાબ આપ્યો છે.
રાજનીતિમાં આવવા અંગે સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ
જીવને મને ઘણા અવસર આપ્યા છેઃ સૌરવ ગાંગુલી
જોઇએ છીએ આગળ શું થાય છે: સૌરવ ગાંગુલી
સોમવારે સૌરવ ગાંગુલીએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી હતી. જેમાં રાજકીય સફર શરૂ કરવાના સવાલ પર સૌરવ ગાંગુલીએ કહ્યું કે, જીવને મને ઘણા અવસર આપ્યા છે, જોઇએ છીએ આગળ શું થાય છે. હવે હું સ્વસ્થ છું અને પોતાનું કામ શરૂ કરવા જઇ રહ્યો છું. વાતચીત દરમિયાન ગાંગુલીએ ક્રિકેટથી જોડાયેલા કેટલાક સવાલ પર પ્રામાણિકતાથી જવાબ આપ્યા.
જણાવી દઇએ કે, રવિવારે કોલકાતાના બ્રિગેટ મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પણ સામેલ થવાની વાત કહેવામાં આવી રહી હતી, પરંતુ આ રેલીમાં સૌરવ ગાંગુલી સામેલ નહોતા થયા.
સૌરવ ગાંગુલીને 2 જાન્યુઆરીએ હાર્ટ એટેક આવ્યો હતો. ઘરમાં જિમમાં વર્કઆઉટ કરતા દરમિયાન ગાંગુલીની છાતીમાં દુઃખાવો થયો. ત્યારબાદ પરિવારજનોએ તેમને તાત્કાલિક કોલકાતાના વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને તેમના હૃદયની નસોમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યા. 7 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીને વુડલેન્ડ્સ હોસ્પિટલથી રજા મળી હતી. પરંતુ 27 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીની તબિયત એક વખત ફરી બગડી ગઇ. તેમને કોલકાતાના એપોલો હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જોકે, હવે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને કામ પર પરત ફરવા જઇ રહ્યા છે.