વિધાનસભાની ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં હાલમાં રાજકીય ગરમીનો પારો આસમાને ચડી રહ્યો છે, ટીએમસી અને ભાજપના વિવિધ નેતાઓ હાલમાં બંગાળને ગજવી રહયા છે.
પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઈને રાજકીય સંઘર્ષ તેજ
મમતા બેનરજી, શિવરાજ સિંહ ચૌહાણ વગેરેએ કરી જનસભાઓ
વ્હીલચેર પર બેસીને પણ મમતા 'દીદી'એ કર્યો શંખનાદ
નંદીગ્રામમાં કથિત હુમલાની ઘટના પછી ઘાયલ મમતા બેનરજીને હવે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને હવે તેઓ વ્હિલ ચેરમાં બેસીને પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે, જો કે આની સામે નંદીગ્રામમાંથી ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ આજે મમતા દીદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે બંગાળના મુખ્યમંત્રીએ તેમના ચૂંટણીના સોગંદનામામાં તેમના પાર ચાલી રહેલા અમુક અપરાધિક કેસોની જાણકારી આપી નથી,જેથી કરીને તેમનું ફોર્મ રદ્દ કરવાની માંગણી કરી હતી, બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહે આજે મમતા દીદીને લલકારતા કહ્યું હતું કે તમને તમારા દર્દની પડી છે પણ અમારા 130 જેટલા કાર્યકર્તાઓએ તેમના જીવ ગુમાવી દીધા તેમના દર્દનું શું?
તમારી ટ્યુબલાઇટ મોડી બળે છે
જો કે આની સાથે જ મધ્ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ આજે આસામમાં એક રેલીને સંબોધન કરી રહયા હતા ત્યારે કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે મોદીજી પાસેથી તેમણે મત્સ્ય મંત્રાલય બનાવવાની માંગણી કરી હતી, જે બહુ પહેલાથી જ કાર્યરત છે, માટે રાહુલ ભૈયા, તમારી ટ્યુબલાઈટ ઘણું મોડું થયા પછી ચાલુ થાય છે.
કેન્દ્રમાં નિરંકુશ સરકાર
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે પુરુલિયામાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા, જ્યાં પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી પાસે આ દેશને ચલાવવાની ક્ષમતા નથી અને તેમની સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે હાલમાં કેન્દ્રમાં એક નિરંકુશ સરકાર બેઠી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે હાલમાં જે ભાજપના સાંસદો છે તેમણે તેમના વિસ્તાર માટે કશું જ કર્યું નથી, માટે જો તેઓ જીતશે, તો હિંસા કરાવશે અને ખોટું બોલશે.
મારા જેવી સરકાર દુનિયામાં બીજે ક્યાંય નથી
મમતા બેનર્જીએ તેમની ચૂંટણી સભામાં કહ્યું હતું કે અત્યાર સુધી તો ત માત્ર ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનની રથયાત્રા વિષે જ સાંભળ્યું હતું અને હવે કોઈ બીજી રથયાત્રા છે. જો કે સાથે જ તેમણે કહ્યું હતું કે દુનિયાની કોઈ પણ સરકાર એટલું કામ નથી કરી શકી જેટલું અમારી સરકારે કર્યું છે.
આસામમાં ભાજપની સરકાર કોંગ્રેસથી વધુ પ્રભાવશાળી
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ આજે કહ્યું હતું કે સર્વાનંદ સોનોવાલના નેતૃત્વ વળી ભાજપની સરકાર કોંગ્રેસની 60 વર્ષની સરકાર કરતા વધુ પ્રભાવશાળી છે, ભોગીભેલના પુલ મામલે કહ્યું કે મોદીજી અને સર્વાનંદના વડપણ હેઠળ આ પુલનું કામ પૂરું થયું. વધુમાં આ મામલે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો ગેરેન્ટી છે કે ભ્રષ્ટાચાર કરશે, કેમ કે તેમનું કમિશન છે મિશન અને અમારું ધ્યેય છે મિશન.