ભયાનક વાવાઝોડા 'અમ્ફાન' એ પશ્ચિમ બંગાળમાં મોટા પ્રમાણમાં વિનાશ વેર્યો છે. 160થી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડાએ કોલકાતા એરપોર્ટને પણ નુકશાન પહોંચાડ્યું છે. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાથી કેટલુ નુકશાન પહોંચ્યું તેની આકારણી હજુ બાકી છે પરંતુ મમતા બેનર્જીનો દાવો છે કે 'અમ્ફાન' થી રાજ્યમાં 72 લોકોના મોત થયા છે.
ભયાનક વાવાઝોડા 'અમ્ફાન' એ પશ્ચિમ બંગાળમાં મોટા પ્રમાણમાં વિનાશ વેર્યો છે
મમતા બેનર્જીનો દાવો, વાવાઝોડા 'અમ્ફાન' થી રાજ્યમાં 72 લોકોના મોત થયા છે
મમતા બેનર્જીએ પીએમ મોદી પાસે રાજ્યની મુલાકાત લેવાની માંગ કરી છે. વાવાઝોડાથી કોલકાતાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હાલ સ્થિતિ સારી નથી. હું પીએમ મોદી સમક્ષ માંગ કરું છું કે તે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરે. હું પણ હવાઇ નિરીક્ષણ કરીશ. જોકે હું સ્થિતિ સારી બને તેની રાહ જોઇ રહી છું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ એલાન કર્યું છે.
મમતા બેનર્જીએ કહ્યું કે આજે અમારી આવક શૂન્ય છે અને આપણે પડકારોનો સામનો કરવો પડશે. આખા બંગાળમાં 72 લોકોના મોત થયા છે. મમતા બેનર્જી મુજબ, કોલકાતામાં 15, હાવડામાં 7, નોર્થ 24 પરગણામાં 17, ઇસ્ટ મિદનાપુરમાં 6, સાઉથ 24 પરગનામાં 18, નાદિયામાં 6 અને હુગલીમાં 2 લોકોના મોત થયા છે.
તેઓએ કહ્યું કે તે ભયાનક હતું. ઘણા લોકોએ તેઓને જણાવ્યું કે તેમણે આવુ (વાવાઝોડુ) પહેલા ક્યારેય નહોતું જોયું. અમને જાણકારી મળી છે કે ઝાડના પડી જવાથી અને વીજળી પડવાથી 72 લોકોના મોત થયા છે.
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં 'અમ્ફાન' વાવાઝોડુ ત્રાટક્યું હતું. 160થી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 'અમ્ફાન' વાવાઝોડાએ પ.બંગાળ અને ઓરિસ્સામાં વિનાશ વેર્યો છે. કોલકાતાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.