દુનિયાની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસ (Coronavirus) નો કહેર ઝડપથી વધી રહ્યો છે. 180થી વધારે દેશોમાં ફેલાઇ ચૂકેલા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 22,000થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. લગભગ 5 લાખ લોકો આ વાયરસથી પોઝિટિવ જોવા મળ્યા છે.
દુનિયાની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર
કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 22,000થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે
શુક્રવારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ત્રણ બાળકો સહિત પરિવારના 5 લોકો કોરોના વાયરસ પોઝિટિવ જોવા મળ્યા છે. તેમના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી ગયો. તમામને ક્વારન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. પાંચ લોકોની સારવાર ચાલી રહી છે. પ.બંગાળમાં હવે પોઝિટિવ મામલાઓની સંખ્યા વધીને 15 થઇ ગઇ છે.
ભારતમાં આ વાયરસથી પોઝિટિવ લોકોની સંખ્યા 834 પર પહોંચી ગઇ છે. ગત 24 કલાકમાં તેના 110 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 67 લોકો આ બીમારીથી બહાર આવવામાં સફળ પણ થયા છે.
કોલકાતાના એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે કોરોનાના શિકાર બનેલા પરિવારમાં 27 અને 45 વર્ષની બે મહિલાઓ, એક 9 માસનો બાળક, 6 વર્ષની છોકરી અને 11નો છોકરો છે. 27 વર્ષની મહિલા હાલમાં જ એક વિદ્યાર્થીના સંપર્કમાં આવી હતી જે બ્રિટેનથી પરત ફર્યો હતો. એ વિદ્યાર્થીનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે તે મહિલા મુળ રૂપે પ.બંગાળના નાડિયાની રહેવાસી છે પરંતુ વર્તમાનમાં તેઓ ઉત્તરાખંડમાં રહે છે.
અધિકારીએ કહ્યું, બ્રિટેનથી પરત ફરેલા વ્યક્તિ ત્યાં અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે તે ભારત પરત ફર્યો તો તેને દિલ્હીમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો, પરંતુ તેણે ક્વારન્ટાઇન પ્રોટોકૉલનું ઉલ્લંઘન કર્યું અને પરિવારના એક પ્રસંગમાં હાજર રહ્યો. અહીં મહિલા તે વ્યક્તિના સંપર્કમાં આવી હતી. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ મહિલા બીમાર થવા પર પોતાના 9 માસના બાળક અને 6 વર્ષની દિકરીને લઇને હોસ્પિટલ પહોંચી હતી અને ત્યાં કોરોના પોઝિટિવ આવી હતી.
સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે 23 માર્ચે જ નાડિયા સ્થિત આઇસોલેશન વોર્ડમાં પરિવારના 8 લોકોને ક્વારન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. શુક્રવારે તેમાંથી 5 લોકોની રિપોર્ટ પોઝિટિવ આવી. સ્વાસ્થ્ય વિભાગે તેમની આસપાસ રહેતા 18 લોકોને ધ્યાને લીધા છે. આ તમામને અલગ રાખવામાં આવ્યા છે અને તેમના ટેસ્ટ કરાવાશે.