હોંગકોંગના લોકશાહી સમર્થક પ્રદર્શનકારીઓએ રવિવારે ચીનના ઉઇગર લઘુમતિઓની સાથે એકજુટતા બતાવતા રેલી કરી. તેઓએ પોતાની દશાને ચીનમાં દમનનો સામનો કરી રહેલા મુસ્લિમ લઘુમતિઓની સ્થિતિ જેવી બતાવી.
હોંગકોંગના લોકશાહી સમર્થક પ્રદર્શનકારીઓએ રેલી કરી
પ્રદર્શનકારીઓએ રેલી કરતા ચીનના ઉઇગર લઘુમતિઓની સાથે એકજુટતા બતાવી
પ્રદર્શનકારીઓએ કહ્યું, તેમની સ્થિતિ ચીનમાં ડિટેન્શન સેન્ટરમાં રહેલા લાખો ઉઇગર જેવી છે
રેલી દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ એક સરકારી ભવનની પાસે એક ચીની ઝંડાને પણ ઉતારી લીધો, ત્યારબાદ તોફાન નિયંત્રણ પોલીસ એક્શનમાં આવી અને લોકોને દૂર કરી દેવામાં આવ્યા. નોંધનીય છે કે, ચીને પોતાના લગભગ 10 લાખ ઉઇગર અને મોટાભાગના મુસ્લિમ લઘુમતીઓને ઉત્તર-પશ્ચિમી પ્રાન્ત શિંજિયાંગમાં ડીટેન્શન સેન્ટરમાં રાખવાને લઇને વૈશ્વિક નિંદાનો સામનો કરી રહ્યું છે.
શિંજિયાંગના મોટાભાગના વિસ્તાર પર કડક સુરક્ષા વ્યવસ્થા અને ડિટેન્શન સેન્ટર પર હોંગકોંગ નજર રાખી રહ્યું છે. હોંગકોંગની રેલીમાં ઉઇગર સમર્થક નારા અને ઝંડા સામાન્ય બાબત બની ગઇ છે. પરંતુ રવિવારની રેલી વિશેષ રૂપે ઉઇગર માટે સમર્પિત હતી.
શહેરના એક ચાર રસ્તા પર લગભગ 1000 લોકો આ ભાષણ સાંભળવા માટે એકઠા થયા, કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની શિંજિંયાગમાં કાર્યવાહી એક દિવસ હોંગકોંગમાં પણ અપનાવાશે. રેલીમાં સામેલ ઘણા લોકો પૂર્વી તુર્કીસ્તાનના ઝંડા લહેરાવી રહ્યા હતા, આ શબ્દોનો ઉપયોગ ઉઇગર અલગાવવાદી શિંજિયાંગ માટે કરે છે. પ્રદર્શનમાં સામેલ થયેલા ઘણા લોકોનું માનવું છે કે, ચીનની મુખ્ય ભૂમિની સરકારને તે હોંગકોંગમાં ઉભી જોઇ રહ્યા છે.
એક પ્રદર્શનકારી અને સિવિલ સેવક કેથરીને કહ્યું કે, શિંજિયાંગમાં ચીન આમ એટલા માટે કરી રહ્યું છે કે તેમની પાસે શક્તિ છે. જ્યારે તે હોંગકોંગ પર પોતાનું નિયંત્રણ કરી લેશે ત્યારે તે અહીં પણ તેવું જ કરશે.