કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા રદ કરાયા હોવા છતાં પણ ખેડૂતો ખુશ નથી. આજે ખેડૂત મોરચાની મોટી બેઠક મળી જેમાં પ્રધાનમંત્રીને એક નવી માગ કરાઈ.
કૃષિ કાયદા રદ કરાયા હોવા છતાં પણ ખેડૂતો નાખુશ
કેન્દ્રની જાહેરાત પર નિર્ણય લેવા હવે 27 નવેમ્બરે મોટી બેઠક
ખેડૂતો તેના પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે રેલી કરશે
29 નવેમ્બર અમે સંસદ સુધી ખેડૂતોની રેલી
ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી દ્વારા કાયદા વાપસીની જાહેરાત બાદ આજે અમારી બેઠક મળી જે પ્રોગ્રામ પહેલેથી નક્કી થયા છે તે થશે. તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. 29 નવેમ્બર અમે સંસદ સુધી રેલી લઈ જઈશું. પ્રધાનમંત્રી મોદીને ખુલ્લો પત્ર લખશે જેમાં MSPની કમિટી અને પરાળી વાળા કાયદા પર પણ ચર્ચા થશે. લખીમપુર ખીરી ઘટનામાં આરોપી મંત્રીને પદ પરથી હટાવવાના મુદ્દે પણ પ્રધાનમંત્રીને પત્ર લખીશું.
હવે 27 નવેમ્બરે કિસાન મોરચાની મળશે મોટી બેઠક
ખેડૂતોએ સરકારના એલાનના ફેસલા પર બોલાવેલી બેઠક હવે 27 નવેમ્બર સુધી ટાળી દીધી છે. હવે 27 નવેમ્બરે આ બેઠક યોજાશે જેમાં આંદોલનની દિશા અને ભવિષ્યની રણનીતિ અંગે નિર્ણય થશે. ખેડૂતોએ જાહેરાત કરી છે કે પહેલેથી નક્કી કાર્યક્રમો તો થશે. સંયુકત કિસાન મોરચાના જણાવ્યા પ્રમાણે લખનઉમાં યોજાનારી મહાપંચાયતમાં પણ તેના પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે જ થશે.
We'll write open letter to PM. Pending demands will be mentioned in it - MSP Committee, its rights, its time frame, its duties; Electricity Bill 2020, withdrawal of cases. We'll also write to him to sack the Minister (Ajay Mishra Teni) over Lakhmipur Kheri: Balbir Singh Rajewal pic.twitter.com/CdsHSoVKNI
સંયુક્ત મોરચાના નેતા બલબીરસિંહ રાજેવાલની જાહેરાત
બલબીરસિંહ રાજેવાલે આ માહિતી આપતાં કહ્યું હતું કે, 22 નવેમ્બર, 26 નવેમ્બરે મહાપંચાયતનું એક વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીની દરેક સરહદ પર સભા કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ૨૯ નવેમ્બરે સંસદ ના કાર્યક્રમ પર ૨૭ નવેમ્બરે એક બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
યુનાઇટેડ કિસાન મોરચા આંદોલન અંગે કોઈ નિર્ણય કોઈ ઉતાવળમાં લેવા માંગતો નથી. ખેડૂત નેતાઓ કોઈ પણ ઔપચારિક જાહેરાત પહેલાં બુધવારે, 24 નવેમ્બરે કેબિનેટની સંભવિત બેઠક સુધી રાહ જોવા માંગે છે. કેબિનેટની બેઠકમાં કૃષિ બિલ પાછું ખેંચવાના નિર્ણયને ઔપચારિક મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે.
For a decision on further developments, another meeting of SKM will be held on 27th Nov. Decision will be taken on the basis of the situation until then: Farmer leader Balbir Singh Rajewal at Singhu border pic.twitter.com/dxMnKXnImg