સામાજિક કાર્યકર અને આર્ય સમાજના જાણીતા નેતા સ્વામી અગ્નિવેશ શુક્રવાર 11 સપ્ટેમ્બરના રોજ 80 વર્ષની વયે દિલ્હીમાં અવસાન પામ્યા. તેઓ અણ્ણા હજારેની લોકપાલ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતથી જાણીતા થયા હતા. દિલ્લીની હોસ્પિટલમાં હાર્ટ એટેક આવવાના લીધે તેમનું નિધન થયું હતું.
સ્વામી અગ્નિવેશનું દિલ્લીની હોસ્પિટલમાં થયું નિધન
હાર્ટ અટેક આવવાના લીધે તેમનું અવસાન થયું હતું
અણ્ણા હજારેના આંદોલનથી મળી હતી પ્રસિદ્ધિ
સ્વામી અગ્નિવેશને થોડા સમય પહેલા લીવર સિરોસિસ રોગને કારણે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક રહી હતી. શુક્રવારે સાંજે 6.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, સ્વામી અગ્નિવેશને મંગળવારે નવી દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલિયરી સાયન્સિસ (ILBS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સ્થિતિ વધુ બગડવાની સ્થિતિમાં તેમને છેલ્લા 3 દિવસથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
ILBS હોસ્પિટલે કરી પુષ્ટિ
સ્વામી અગ્નિવેશના મોતની પુષ્ટિ કરતા ILBS એ કહ્યું કે, 'શુક્રવારે સાંજે 6 વાગ્યે સ્વામી અગ્નિવેશની કાર્ડિયાક અરેસ્ટ થયું હતું, તેમને બચાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ શક્ય નહોતું. તેમણે સાંજે 6.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
સ્વામી અગ્નિવેશ અણ્ણા હજારેની ચળવળથી બિગ બોસના ઘર સુધીની યાત્રા કરી હતી
21 સપ્ટેમ્બર, 1939 ના રોજ જન્મેલા, સ્વામી અગ્નિવેશ સામાજિક મુદ્દાઓ પર તેમની સ્પષ્ટ ટિપ્પણીઓ માટે જાણીતા હતા. સ્વામી અગ્નિવેશે 2011 માં અણ્ણા હજારેની આગેવાની હેઠળ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ ભાગ લીધો હતો. જોકે, પછીથી મતભેદોને કારણે તે આંદોલનથી પાછળ હટી ગયા હતા. સ્વામી અગ્નિવેશે રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. 8 થી 11 નવેમ્બર સુધી તે ત્રણ દિવસ બિગ બોસના ઘરે પણ રોકાયા હતા.
જાણો વધુ સ્વામી અગ્નિવેશના વિશે
વિભિન્ન સામાજિક મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ વિચારો માટે પ્રસિદ્ધ સ્વામી અગ્નિવેશ એક સામાજિક કાર્યકર હતા, તેમણે 1970 માં આર્ય સભા નામની રાજનીતિક પાર્ટીની રચના કરી હતી. 1977 માં, તેઓ હરિયાણા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને હરિયાણા સરકારમાં શિક્ષણ પ્રધાન તરીકે પણ કાર્ય કર્યું હતું.
1981 માં, તેમણે બંધુ મુક્તિ મોરચા નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી. સ્વામી અગ્નિવેશે 2011 માં અણ્ણા હજારેની આગેવાની હેઠળ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ ભાગ લીધો હતો. જોકે, પછીથી મતભેદોને કારણે તે આંદોલનથી પાછળ હટી ગયા હતા. સ્વામી અગ્નિવેશે રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. 8 થી 11 નવેમ્બર સુધી તે ત્રણ દિવસ બિગ બોસના ઘરે પણ રોકાયા હતા.