રાજકોટના જાણિતા ઉદ્યોગપતિ અને વકીલ મહેન્દ્ર ફળદુએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટમાં જાણીતા ઉદ્યોગપતિનો મહેન્દ્ર ફળદુએ આપઘાત કર્યો
આપઘાત કરતા પહેલા મીડિયાને મોકલી પ્રેસનોટ
આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આપઘાત કરતા પહેલા તેણે મીડિયાને પ્રેસનોટ મોકલી હતી. જેમાં આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું હતું.
આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું
નોટમાં લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી. મારા ગ્રુપના 70 કરોડના દસ્તાવેજો છે. અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા, જયેશ પટેલ, દીપક પટેલ, પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. મને ખૂજ હેરાન કર્યો છે અને મારા પર ફરિયાદો કરે છે અને ધમકી આપે છે.
સુસાઇડ નોટમાં આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આપઘાત કરતા પહેલા તેણે મીડિયાને પ્રેસનોટ મોકલી હતી. જેમાં આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું હતું. નોટમાં લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી. મારા ગ્રુપના 70 કરોડના દસ્તાવેજો છે. અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા, જયેશ પટેલ, દીપક પટેલ, પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. મને ખૂજ હેરાન કર્યો છે અને મારા પર ફરિયાદો કરે છે અને ધમકી આપે છે.
જમીનના દસ્તાવેજ ન કરી આપતા હોવાનો ઓઝોન ગ્રુપ પર આક્ષેપ
આત્મહત્યા કરતા પહેલા મીડિયાને પ્રેસનોટ મોકલી હતી.જેમાં મહેન્દ્ર ફળદુએ અમદાવાદના બાવળામાં "ધ તસ્કની બીચ સીટી" નામના પ્રોજેક્ટમાં 1 લાખ વારની જમીન ખરીદી હતી...2007માં 3 કરોડથી વધુ રૂપિયાનું ઓઝોન ગ્રુપમાં રોકાણ કરાયું હતુ. આ જમીનના દસ્તાવેજ ન કરી આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. ઓઝોન ગ્રુપના એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા, જયેશ પટેલ, દિપક પટેલ, પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ સામે આક્ષેપ કર્યા છે..તો મહેન્દ્ર પટેલને ખોટી ફરિયાદો કરી ધાકધમકી આપતા હોવાનો પ્રેસનોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આશરે 35 કરોડની જમીનના દસ્તાવેજ ન કરી આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
પ્રેસનોટમાં અઢી પેજ કોમ્પ્યુટર લિખિત કેમ ?
પ્રેસનોટનું અડધું પેજ હસ્ત લિખિત કેમ ?
ચાર પેજમાંથી ચોથું પાનું ગુમ કરનાર કોણ ?
ચોથા પાનામાં અંતમાં શું લખવામાં આવ્યું હતું ?
કોના-કોના નામ ચોથા પાના પર લખેલા હતા?
મહેન્દ્ર ફળદુની પ્રેસનોટમાં ત્રીજા પાનમાં રહેલા અક્ષરો કોના ?
પ્રેસનોટમાં અક્ષર મહેન્દ્ર ફળદુના છે કે પછી અન્ય કોઈના ?
કોણ હતા ઉદ્યોગપતિ મહેન્દ્ર પટેલ?
મહેન્દ્ર પટેલ આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાથી પગલું ભર્યું છે. તેમણે સુસાઈડ નોટમાં આક્ષેપ કર્યો હતો કે IAS અને IPS અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે તેવું કહીને ધમકી અપાતી હતી. મહેન્દ્ર ફળદુ ક્લબ યુવી ગ્રુપના ચેરમેન હતા.એડવોકેટ અને કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થા સાથે મહેન્દ્ર પટેલ જોડાયેલા હતા.