કોરોના વાયરસના સંક્રમણમાં એેક અજીબ વાત સામે આવી છે. દુબઈથી ચંદીગઢ આવેલા 22 વર્ષીય યુવકમાં 14 દિવસ સુધીની ઈંક્યુબેશન સમયગાળા દરમિયાન તેને ઘરમાં ક્વોરેન્ટાઈન રાખામાં આવ્યો હતો. જે પુરો થતાની સાથે તેનામાં કોરોનાના લક્ષણો સામે આવ્યા હતા.
લક્ષણો 14 નહીં 15માં દિવસે સામે આવ્યા છે
કોરોના વાયરસની ઈંક્યૂબેશન સમય 5થી 14 દિવસનો હોય છે
આપણે ફરી પૃથક સમય વિશે વિચાર કરવો પડશે
15 દિવસે લક્ષણો સામે આવ્યા છે.
ચંદીગઢના એક વ્યકિતનો ઈંક્યુબેશન સમય પત્યા પછીની તપાસમાં કોરોના વાયરસમાં સંક્રમિત થયાની ખાતરી થઈ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના સલાહકાર મનોજ પરીડાએ કહ્યુ કે ‘14 દિવસ સુધી તેને કંઈ ન થયું 15માં દિવસે તેને તાવ આવ્યો હતો. આ દેશનો પહેલો કેસ છે જેને 15 દિવસે લક્ષણો સામે આવ્યા છે. ‘પરીડાએ સમાચાર એજન્સીને જણાવ્યું કે અમારા ચિકિત્સા દળે આ વિચિત્ર કેસની જાણકારી કેન્દ્રને આપી છે. આ પહેલા તેમણે ટ્વીટ કર્યુ હતું.
કોરોના વાયરસની ઈંક્યૂબેશન સમય 5થી 14 દિવસનો હોય છે
ચિંતાજનક સમાચાર છે કે દુબઈથી ચંદીગઢ આવનાર વ્યક્તિમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. લક્ષણ 15માં દિવસે સામે આવ્યા છે. આ એક અસામાન્ય ઘટના સામે આવી છે. તેની સંપર્કમમાં આવનારા લોકોની શોધ કરવામાં આવી રહી છે. તે લોકોને અલગ કરવામાં આવશે. ’ રાજકીય ચિકિત્સા મહાવિદ્યાલય અને હોસ્પિટલના ડિરેક્ટર સહ પ્રચાર્ય બીએસ ચૌહાણે જણાવ્યું કે ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યાનુંસાર કોરોના વાયરસની ઈંક્યૂબેશન સમય 5થી 14 દિવસનો હોય છે.
આપણે ફરી પૃથક સમય વિશે વિચાર કરવો પડશે
ચૌહાણે કહ્યું કે દર્દીએ વિદેશ યાત્રા કરી હોવાની વાતની ખરાઈ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણે સતર્ક રહેવું પડશે. જો લક્ષણ સામે આવવાનો સમય વઘારે હશે તો અને આપણે ફરી પૃથક સમય વિશે વિચાર કરવો પડશે. ’ ચૌહાણે કહ્યું કે, ‘તે ગુરુવારે સવારે અમારી પાસે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વધુ એક કોરોના દર્દીની સાથે ચંદીગઢમાં કુલ 8 કેસ નોંધાયા છે.’