જો વધતા વજન અને મેદસ્વીપણાથી પરેશાન હો તો આ ખાસ તમારા માટે છે. આજકાલ મેદસ્વીપણું દરેક વ્યક્તિની સમસ્યા બની ગઇ છે.
વજન ઘટાડવા કસરતની જરૂર નથી
ગ્રીન ટી બેસ્ટ વિકલ્પ છે
દૂધવાળી ચા પીવાનુ બંધ કરવુ જોઇએ
મેદસ્વીપણું અનેક રોગોને જન્મ આપે છે એ વાત પણ એટલી જ સાચી છે. આવી સ્થિતિમાં સમયસર તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
મેદસ્વીપણું ઘટાડવા માટે આમ તો શિયાળો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે, પરંતુ શિયાળામાં આપણો ખોરાક પણ વધી જાય છે. વસાણાં અને તળેલો તેમજ ચરબીવાળો ખોરાક વધુ પ્રમાણમાં ખવાય છે. આમ જોવા જઇએ તો ઉનાળો વજન ઉતારવા માટે બેસ્ટ િસઝન છે, કેમ કે તમે ત્યારે માત્ર લિક્વિડ લઇને પણ ચલાવી શકો છો. કેટલીક િટપ્સ અપનાવીને તમારી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
લીંબુ અને ગરમ પાણી
સવારે ઊઠતાંની સાથે જ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. તેનાથી તમારું મેટાબોલિઝમ ફાસ્ટ બને છે. ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે.
સવારનો નાસ્તો
સવારના નાસ્તામાં પરાઠાં ખાવાના બદલે પૌઆ, ઇડલી કે ઉપમા જેવા પાણીવાળા ખોરાક ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે.
ગ્રીન ટી
ભારે નાસ્તો કર્યા પછી ગ્રીન ટી પીવી જોઇએ. સવારે દૂધની ચા પીવાનું ટાળો. તેના બદલે ગ્રીન ટી બેસ્ટ વિકલ્પ છે.
સલાડ
લંચમાં કચુંબર સામેલ કરો. જમતાં પહેલાં સલાડ ખાઇ લો. તેનાથી ભૂખ ઓછી લાગશે અને અડધું પેટ સલાડથી જ ભરાઇ જશે.
પલાળેલી બદામ
બદામનું સેવન ભૂખ શાંત કરવામાં અને વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
મેથી
મેથી પાચનમાં સુધારો કરે છે. રાતે મેથીના દાણા પલાળી રાખો અને સવારે વહેલા ઊઠો તથા તે પાણી પીઓ તેમજ મેથીના દાણા ચાવી જાવ.
તજ
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તજ વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વખત મધ અને તજ પીઓ. તેનાથી વજન ઘટે છે.
જોગિંગ
વોકિંગ કે જોગિંગ કરવાથી તમારી વધારાની ચરબી ઝડપથી ઘટાડવામાં મદદ મળશે. ઝડપી પગલાં સાથે સાંજે અડધો કલાક ચાલો.
વરિયાળી અને ખડીસાકર
રાત્રિ ભોજન પછી વરિયાળી અને આખી સાકર ખાધા પછી ખોરાક ઝડપથી પચે છે. ખોરાકમાંથી કાર્બ શોષાઇ જાય છે.•ો