વજન ઘટાડવા માટે તમારી પાસે ઘણા વિકલ્પ હોય છે, પરંતુ કેટલાંક લોકો ઘરગથ્થુ પદ્ધતિથી તમારું વજન ઘટાડી શકે છે. જો કે, મોટાભાગના લોકો થોડુ વજન વધતા જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાનુ શરૂ કરે છે. પરંતુ હવે તમારે આવુ કરવાની જરૂર નથી.
ઘર બેઠા આ રીતે તમારા વજનને કંટ્રોલ કરો
તમે તમારા લક્ષ્યમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકશો
દરરોજ સવારે પીવો હૂંફાળુ પાણી, ઘટી જશે વજન
કેટલીક એવી પદ્ધતિ પણ છે, જે ઘર બેઠા તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ અંગે ન્યુટ્રીશિયન નિષ્ણાંતે માહિતી આપી છે. તેમનુ કહેવુ છે કે તમારે તેના માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. તમારે બસ ઘરે ગરમ પાણી, લીંબુ, તજ, કાળા મરી અને મધને રાખવુ પડશે. આ ચીજ વસ્તુઓની મદદથી તમે સરળતાથી તમારા લક્ષ્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
હૂંફાળા પાણીથી કેવીરીતે વજન ઘટશે?
નિષ્ણાંત માને છે કે જો તમે દરરોજ સવારે હૂંફાળા પાણીને પીવો છો તો વજનને નિયંત્રણમાં રાખવાની સાથે-સાથે પેટ સંબંધિત ફરિયાદો પણ દૂર થશે. આ ટિપ્સને તમારે ઓછામાં ઓછો 1 મહિનો ફૉલો કરવુ પડશે. આ દરમ્યાન તેને અધવચ્ચે છોડ્યા બાદ ફરીથી આ કસરતને કરવાથી ઓછો લાભ મળે છે. એટલેકે તમારે સતત તેની પર કામ કરવુ પડશે.
લીંબુ પાણીની સાથે પીવો સફરજનનો સિરકો
શું તમે જાણો છો કે લીંબુ પાણીની સાથે જો તમે સફરજનનો સિરકો પીશો તો તમારું વજન ઘટાડવામાં ખૂબ મદદ મળશે. ન્યુટ્રીશિયન નિષ્ણાંતે જાતે આ અંગે વાતચીત કરીને માહિતી આપી છે.
તજથી પણ વજન ઘટશે
ન્યુટ્રીશિયન નિષ્ણાંતે જણાવ્યું કે તજથી પણ ઝડપથી વજન ઓછુ થવા લાગે છે. તેમણે જણાવ્યું કે તજના પાણીને તમે પી શકો છો. જેનાથી બિમારીઓ પણ દૂર રહેશે. નિષ્ણાંતે જણાવ્યું કે જે લોકોને બીપીની સમસ્યા છે તેવા દર્દીઓ પણ તેનુ સેવન કરી શકે છે. જેનાથી બીપી કંટ્રોલમાં રહેશે.