મોટા ભાગે લોકો પોતાના વધતા વજનને કારણે હેરાન રહે છે. આ માટે તેઓ અનેક પ્રકારના ડાયટને પ્લાન કરતા રહે છે. કેટાલક તો તેલ અને ઘી ખાવાનું જ બંધ કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે સાચે કઈ આદતો છે જે તમારું વજન વધારે છે.
રાતના સમયે ન કરો આ કામ
વધી જશે તમારું વજન
આજથી જ બદલી દો તમારી આ આદતો
જ્યારે લોકો રાતે ખાવાનું ખાઈને સૂઈ જાય છે ત્યારે તેમનું વજન ઝડપથી વધે છે. સાચી આદત પ્રમાણે તો રાતે સૂવાના 2-3 કલાક પહેલાં ખાવાનું ખાવું જોઈએ. જેથી તે સારી રીતે પચી જાય.
રાતે સૂતા પહેલાં મોટાભાગના લોકો પોતાના રૂમનું તાપમાન ઓછું કરે છે. એરકન્ડીશનના ટેમ્પ્રેચરના ઓછા રહેવાના કારણે શરીરને નોર્મલ ટેમ્પ્રેચર પર બનાવી રાખવા માટે ઉર્જાની જરૂર પડે છે. તેનાથી શરીરનું વજન વધે છે.
રાતના ખાવાનું ખાધા બાદ સીધા સૂવાની આદત પણ વજન વધારે છે. ખાવાનું ખાધા બાદ 20-30 મિનિટ વોક કરવું. તેનાથી ખાવાનું સારી રીતે પચે છે અને વજન વધવાની શક્યતા ઓછી થાય છે.
જે લોકો રાતે વધારે કેલેરી લે છે તેમના વજન વધવાની શક્યતા વધારે રહે છે. રાતે ખાવામાં લો કેલેરી ફૂડ લેવું. દિવસની સરખામણીએ રાતે શરીરની એક્ટિવિટી ઘટે છે. આ કારણે ખાવાનું સંપૂર્ણ રીતે પચતું નથી અને વજન વધે છે.
અનેક લોકો રાતે હાઈ પ્રોટીન ફૂડ લે છે. વધારે પ્રોટીન લેવાથી ભોજન પચવાની એક્ટિવિટી થઈ શકતી નથી. આ માટે રાતના સમયે દાળ, સોયાબીન, ચાપ, ઈંડા, માંસ અને રાજમા ખાવાનું ટાળવું જોઈએ.
મોટાભાગે લોકો ખાવાનું ખાધા બાદ મીઠાઈ ખાવાની ઈચ્છા રાખે છે. જે લોકોનું વજન ઝડપથી વધે છે તેઓએ રાતે મીઠાઈ ખાવી નહીં. રાતે શરીર શુગરને ઝડપથી પચાવી શકતું નછી. તેનાથી ફેટમાં ફેરબદલ થયા છે અને વજન વધવા લાગે છે. આ કારણે રાતે ગળ્યું ન ખાવાનું કહેવાય છે.