દેશનો દર ત્રીજો વ્યકિત મેદસ્વીપણા અને વધતા શરીરથી પરેશાન હોય છે. મેદસ્વીપણું પર્સનાલિટી ખરાબ કરવાની સાથે સાથે ઘણી ગંભીર બિમારીઓનું કારણ બને છે. વજન વધવાથી ડાયાબિટીસ કેન્સર અને હૃદયથી જોડાયેલી કેટલીક ગંભીર બિમારીઓ પણ થઇ શકે છે.
ખાણી-પીણી અને વ્યાયામ ના કરવાના કારણે વજન વધવાની ફરિયાદ થતી હોય છે. મેદસ્વીપણુ દૂર કરવા માટે ખાણી-પીણીની આદતો સુધારવી પડશે અને બીજી તો નિયમિત રીતે વ્યાયામ કરવાનું રહેશે. આ સિવાય પણ કેટલીક એવી ચીજવસ્તુઓ છે જેને માત્ર સૂંઘવાથી તમે વજન ઘટાડી શકો છો.
- એક રિસર્ચ અનુસાર જે લોકો જાડિયા છે અને સતત ભૂખ લાગ્યા કરે છે તો ગ્રીન એપલ અને કેળાં સૂંધવાથી તેમનું વજન ઓછુ થઇ શકે છે. સાથે જ તેઓ આ ફળ સૂંધવાથી તેમની ભૂખ પર કાબૂ મેળવી શકાય છે.
- વિટામિન Cથી ભરપૂર આ ફળ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળ સૂંધવાથી તેની અસર સીધી જ લિવર એન્ઝાઇન્સ પર થાય છે અને તેનાથી વજન ઘટવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે.
- મસાલેદાર તેજ ફ્લેવર અને સ્ટ્રોન્ગ અરોમા ધરાવતા લસણ વિશે કહેવામાં આવે છે કે તેને સૂંધવાથી વજન ઓછુ થાય છે. આ ખાવાથી તો કેલરી પણ બર્ન થાય છે અને વજન પણ ઓછું થઇ જાય છે.
- એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલને સૂંધવાથી પેટ જાણે ભરેલું હોય તેવો અનુભવ થાય છે. આ એકસ્ટ્રા વર્જિન ઓઇલ ઓઇલમાં હેલ્ધી ફેટ હોય છે અને ફેટ ઘટાડવામાં મદદરૂપ થાય છે.