અનહેલ્ધી રીતે વજન ઘટાડવાના કારણે તમારે ઘણી બીમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે. અમે તમને કેટલાક એવા સંકેતો અથવા વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જે દર્શાવે છે કે તમે અનહેલ્ધી રીતે વજન ઘટાડી રહ્યા છો.
વજન ઉતારવાના ચક્કરમાં તમે તો નથી કરતાને આવી ભૂલ
વજન ઉતારવામાં આ પરેશાનીઓનો શિકાર ન થઈ જવાય
જાણો તમારી ડાયેટ હેલ્ધી છે કે અનહેલ્ધી
વજન ઘટાડવા માટે વિવિધ રીતો અપનાવવા ઉપરાંત કેટલાક લોકો કસરત પણ કરે છે. જાડાપણું પણ એક પ્રકારનો રોગ છે, જેને સમયસર દૂર કરવાની જરૂર છે. લોકો હેવી વર્કઆઉટ કરે છે અને તેના કારણે ઝડપથી વજન ઘટવા લાગે છે. જો કે, વજનના ઘટવા અને તેને ઘટાડવામાં મોટો તફાવત છે.
જો વજન ઝડપથી ઘટવા લાગે અને તેની પાછળનું કારણ આપણને ખબર ન હોય તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેના બદલે, જો આપણે તંદુરસ્ત વજન ઘટાડવાની વાત કરીએ, તો સખત મહેનત કરવા ઉપરાંત, સંતુલિત આહાર પણ લેવો જોઈએ. આમ કરવાથી શરીરમાં પોષક તત્વોની કમી નથી થતી અને તે અંદરથી સ્વસ્થ પણ રહે છે.
તેના બદલે, જો વજન ઘટાડવા દરમિયાન ચક્કર આવે છે, ઉલ્ટી થાય અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય તો માની લો કે તમે અનહેલ્ધી રીતે વજન ધટાડી રહ્યા છો. અનહેલ્ધી વજન ઘટાડવાના કારણે તમારે ઘણી બીમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે. અમે તમને કેટલાક એવા સંકેતો અથવા વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જે દર્શાવે છે કે તમે અનહેલ્ધી રીતે વજન ઘટાડી રહ્યા છો.
નબળા સ્નાયુઓ
જો તમારું વજન ખોટી રીતે અથવા અનહેલ્ધી રીતે ઘટી રહ્યું છે, તો આ સ્થિતિમાં તમને શરીરમાં દુખાવાની ફરિયાદ થવા લાગશે. સ્નાયુઓનું નબળું પડવું તેની પાછળનું કારણ હોઈ શકે છે. ઘણા લોકો નબળાઈ હોવા છતાં વજન ઉપાડવાનું અથવા કસરત કરવાનું ચાલુ રાખે છે. આ સ્થિતિમાં સીડી ચડવામાં પણ સમસ્યા થઈ શકે છે. સ્નાયુઓ નબળા પડવાને કારણે મેટાબોલિઝમ પણ ઓછું થવા લાગે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ આપણને ઘેરી લે છે.
પોષણની ખામીઓ
પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ વજન ઘટાડવા દરમિયાન ઘણા લોકોમાં પોષક તત્વોની કમી હોય છે. આ સ્થિતિમાં તમને ઘણી બીમારીઓ લાગી શકે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો શરીરમાં વિટામિન ડી, કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વોની સપ્લાય હંમેશા કરતા રહો. આ માટે સંતુલિત આહાર લેવો જોઈએ અને યોગ્ય દિનચર્યાનું પાલન કરવું પણ જરૂરી છે.
નબળું પાચન તંત્ર
વજન ઘટાડતી વખતે ઘણી વખત લોકો એવી દિનચર્યા ફોલો કરે છે, જેનાથી તેમના પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. લોકો ઘણા પ્રકારના સપ્લીમેન્ટ્સ પણ લે છે, જેની ખરાબ અસર લાંબા સમય પછી શરીર પર દેખાય છે. અનહેલ્ધી રીતે વજન ઘટાડવાની ખરાબ અસર પાચન તંત્ર પર પણ જોવા મળે છે.
આ દરમિયાન, અસરગ્રસ્ત વ્યક્તિને પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, શ્વાસની દુર્ગંધ, ભૂખ ન લાગવી, ઝાડા અને ઉલ્ટી જેવા લક્ષણો થવા લાગે છે. અનહેલ્ધી રીતે વજન ઘટાડવાને બદલે યોગ્ય માહિતી લીધા પછી જ વજન ઘટાડવાનો પ્રયાસ કરો.