બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Weight Lossનું સપનું હવે થશે સાકાર, લોન્ચ થશે વજન ઓછું કરવાની દવા

ખુશખબર / Weight Lossનું સપનું હવે થશે સાકાર, લોન્ચ થશે વજન ઓછું કરવાની દવા

Last Updated: 09:19 PM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેદસ્વિતા એક ગંભીર સમસ્યા છે, જેનાથી ઘણા લોકો પ્રભાવિત છે. અત્યારની જીવનશૈલીના કારણે લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. જો કે, મેદસ્વિતાના કારણે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને આ વિશે ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOએ પણ ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં પોતાની જાતને ફિટ અને હેલ્ધી રાખવા માટે ઘણા લોકો વેટ કંટ્રોલ કરવા માટે અલગ અલગ રીત અપનાવે છે.

અમેરિકા અને યુરોપમાં માર્કેટમાં ઓજેમ્પિક, જેપબાઉન્ડ જેવી વજન ઘટાડવાની દવાઓ ટૂંક સમયમાં ભારતના માર્કેટમાં આવી જશે. આ માટે ભારતીય ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને ફાર્માસ્યુટિકલ કંપની 'એલી લિલી' ના ટિરજેપેટાઈડ નામની વેટ લોસની દવાને મંજૂરી આપી દીધી છે. આ એક્ટિવ ઈન્ગ્રીડિએન્ટ Eli Lillyની દવાઓ Mounjaro જે ડાયાબિટીસ માટે છે અને Zepbound છે જે વજન ઘટાડવા માટે છે. ગત વર્ષે અમેરિકાએ વજન વધવાની સમસ્યાને દૂર કરવા માટે જેપબાઉન્ડને મંજૂરી આપી દીધી હતી.

ઇન્ડિયન ડ્રગ રેગ્યુલેટર તરફથી આ મંજુરી મળ્યા બાદ આ દવાની ઉત્પાદક એલી લિલી ટૂંક સમયમાં જ આ પ્રોડક્ટને ભારતીય બજારમાં લોન્ચ કરશે. જોકે, હાલમાં આ દવાની આયાત અને માર્કેટિંગને ડાયાબિટીસ માટે મંજૂરી આપવામાં આવી છે. CDSCO હાલમાં મેદવસ્તિની સાથે તેના કનેક્શનની સમીક્ષા કરી રહ્યું છે. પરંતુ શું Tirazeptide ખરેખર વજન ઘટાડવામાં અસરકારક છે, જો હા, તો તે કેવી રીતે કામ કરે છે અને તેની શું આડઅસર થઈ શકે છે, આ તમામ પ્રશ્નોના જવાબો આજે આ લેખમાં જાણીશું.

ટિરાઝેપ્ટાઇડ શું છે?

Tiragepetide એલી લિલીની દવાઓ, મોન્જારો અને ઝેપબાઉન્ડમાં એક્ટિવ ઈન્ગ્રીડિએન્ટ છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ટિરાઝેપ્ટાઇડ શરીરમાં બે આવશ્યક હોર્મોન્સ - જીઆઈપી અને જીએલપી-1ની જેમ કામ કરે છે.

ટિરાઝેપ્ટાઇડ વજન કેવી રીતે ઘટાડે છે?

જ્યારે તેને ઇન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે તે આ હોર્મોન્સ માટે રીસેપ્ટર્સને સક્રિય કરે છે, જેની ઘણી અસરો હોય છે. તે પેનક્રિયાઝને વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે સ્ટીમૂલેટ કરે છે અને મગજને સંપૂર્ણ અનુભવવાનો સંકેત પણ આપે છે. આ રીતે, આ દવા ન માત્ર બ્લડ સુગર લેવલને ઘટાડે છે પણ ભૂખ પણ ઘટાડે છે, જેનાથી મેદસ્વીપણાથી પીડિત લોકોને વધુ પડતું ખાવાથી બચાવે છે.

અધ્યનમાં પણ સાબિત થયું છે

કેટલાક રિસર્ચ એ પણ દર્શાવે છે કે ટિરાઝેપ્ટાઈડ વજન ઘટાડવા માટે ખૂબ અસરકારક છે. જુલાઈ 2022માં ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ટિરાઝેપ્ટાઈડનો ઓછો ડોઝ લેનારા લોકોએ લગભગ એક વર્ષમાં લગભગ 16 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું. તે જ સમયે, વધુ ડોઝ લેનારાઓના વજનમાં 22 કિલોનો ઘટાડો થયો છે.

વધુ વાચોઃ- ફાટેલા કપડાંનું રફુ ગણતરીની સેકન્ડમાં થઈ જશે, જાણી લો કમાલની ટ્રિક

શું tirazeptide ની કોઈ આડઅસર છે?

તેની આડઅસરો વિશે વાત કરતાં, એક અભ્યાસ દર્શાવે છે કે ટિરાઝેપ્ટાઇડ ક્યારેક ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યાઓનું કારણ બની શકે છે. હાઈ ડોઝ લેતા લગભગ એક તૃતીયાંશ લોકો ઉબકા અનુભવે છે અને પાંચમાંથી એક અનુભવી ઝાડા. આ ઉપરાંત આ દવા લેતા કેટલાક લોકોએ પેટમાં દુખાવો, ઉલ્ટી, કબજિયાત, માથાનો દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદ પણ કરી હતી.

ભારતીય બજારમાં દવા ક્યારે આવશે?

એલી લિલીના સીઈઓ ડેવિડ રિક્સે ન્યૂઝ એજન્સી રોઈટર્સને જણાવ્યું કે મોન્જારો ભારતમાં 2025ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. તે જ સમયે, Novo Nordisk ભારતમાં તેની વજન ઘટાડવાની દવા 2026 સુધીમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ભારતમાં આ દવાની માંગમાં વધારો થવાની ઘણી સંભાવના છે, કારણ કે અહીં ટાઇપ 2 ડાયાબિટીસ અને સ્થૂળતા ધરાવતા લોકોની સંખ્યા વિશ્વમાં બીજા ક્રમે છે.

2023માં લેન્સેટના એક અભ્યાસમાં બહાર આવ્યું હતું કે દેશમાં 101 મિલિયન લોકો એટલે કે દેશની 11.4 ટકા વસ્તી ડાયાબિટીસથી પીડિત છે. સાથે જ દેશમાં સ્થૂળતા પણ ઝડપથી વધી રહી છે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન એટલાસ અનુસાર, વર્ષ 2034 સુધીમાં લગભગ 11 ટકા ભારતીય પુખ્ત વયના લોકો મેદસ્વી હશે.

સંકળાયેલા મુદ્દાઓ

tirzepatide Weight loss drug weight loss
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ