બધા જાણે છે કે અખરોટ એક એવુ ડ્રાય ફ્રૂટ છે, જેને ખાવાથી તમારું મગજ તેજ ચાલે છે. પરંતુ કેટલાંક લોકોના મગજમાં એવુ પણ ચાલે છે કે શું તેના સેવનથી વજન વધે છે.
અખરોટ ખાવાથી મગજ તેજ ચાલે છે
શું અખરોટ ખાવાથી વજન વધી શકે છે?
અખરોટ બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે
વજન વધવુ એક સામાન્ય સમસ્યા
વજન વધવુ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે, એવામાં કેટલાંક લોકો એવા હોય છે કે તે ફિટ રહેવા માટે તમામ પ્રયાસ કરે છે, પરંતુ અમુક લોકોને લઇને તેમના વિચાર પણ તેમને પરેશાન કરે છે. ઉદાહરણ માટે કેટલાંક લોકો વિચારે છે કે શું અખરોટ ખાવાથી વજન વધી શકે છે? આ લોકોને જણાવવાનું કે આ ડ્રાય ફ્રૂટ્સથી આવુ કશુ થતુ નથી.
શું ખરેખર અખરોટ ખાવાથી વધે છે વજન?
ડ્રાય ફ્રૂટ અખરોટ ખાવાથી વજન ઓછુ વધતુ નથી. પરંતુ તેનાથી તમારું વજન ધીરે-ધીરે ઘટવા લાગે છે. એટલેકે તમારે પોતાના ડાયટમાં અખરોટને ફરજીયાત એડ કરવુ જોઈએ. જેનાથી તમને લાભ મળશે. ખરેખર અખરોટમાં રહેલા ALA એક મહત્વપૂર્ણ એન્ઝાઈમ છે, જે બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે અને પાચનમાં સુધાર કરે છે. આ ઉપરાંત શરીરમાં ફેટની ગતિને કંટ્રોલ કરે છે, જેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળે છે.
અખરોટથી પેટ ભરાયેલુ રહે છે
અખરોટ પ્રોટીન, મિનરલ અને વિટામિનથી ભરપૂર હોય છે. અખરોટના સેવનથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલુ રહે છે. એટલેકે તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને આપોઆપ તમારું વજન નિયંત્રણમાં કરી શકશો.