કોરોનાની ગંભીર અસરના કારણે જે લોકોને હોસ્પિટલમાં જવું પડે છે તેમને ખાસ કરીને વજન ઘટવાની અને સાથે કુપોષણની ગંભીર ફરિયાદ રહે છે. હાલમાં થયેલા એક સ્ટડીમાં આ વાત સામે આવી છે.
કોરોનાને લઈને થયેલા નવા સ્ટડીમાં આવ્યો ચોંકાવનારો ખુલાસો
વજન ઘટવાની અને સાથે કુપોષણની ગંભીર ફરિયાદ રહે છે
ગંભીર સંક્રમિત દર્દીઓમાં જોવા મળી રહી છે આવી તકલીફો
આ વાત બધા લોકો જાણે છે કે કોરોના સંક્રમણ બાદ દર્દીમાં તેના લક્ષણો લાંબા સમય સુધી રહે છે. કેટલાક દર્દીમાં વર્ષ બાદ પણ કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે શરીરના અનેક અંગ અને તેના કામ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. મેડિકલ એક્સપર્ટનું માનીએ તો કોરોનાથી રિકવર થયા બાદ દર્દીનું વજન ઘટવા લાગે છે, કોરોનાથી ગંભઈર રીતે પ્રભાવિત લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. જે લોકો ગંભઈર અસર બાદ હોસ્પિટલમાં દાખલ થાય છે તેઓ સ્વાદ અને શ્વાસ સંબંધિત ફરિયાદો ધરાવે છે. તે દર્દીમાં વજન ઘટવાની સાથે કુપોષણની ફરિયાદ પણ જોવા મળી રહી છે.
બ્લેક ફંગસના શિકાર લોકોમાં ખતરો વધારે
નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશનના આધારે કોરોનામાં ગંભીર રીતે બીમાર પડેલા લોકોમાં વજન ઓછું થવું અને કુપોષણ વધારે જોવા મળી રહ્યું છે. 30 ટકા દર્દીમાં બોડી વેટ 5 ટકા ઘટ્યું છે. આ સાથે કોરોનાના કારણે ગંભીર રીતે પીડિત લગભગ અડધા દર્દીઓ પર કુપોષણનો ખતરો વધી રહ્યો છે. ડોક્ટર્સના આધારે કોરોનાના દર્દીમાં સ્વાદ અને સ્મેલ જવાના કારણે વજન ઘટવા લાગે છે, આ સમસ્યા એ દર્દીમાં વધારે હોય છે જેઓ મ્યુકરમાઈકોસિસનો શિકાર બન્યા હોય છે. એવા દર્દીમાં બીમારીના કારણે હાઈ ડોઝ એન્ટી ફંગલ દવા અપાય છે જેના કારણે દર્દીમાં બેચેની વધે છે અને ભૂખ લાગવામાં તકલીફ વધે છે.
સ્વાદ અને ગંધમાં ફેરફારના કારણે ભૂખમાં ઘટાડો
શોધમાં જાણવા મળ્યું છે કે સ્વાદ અને ગંધમાં ફેરફારના કારણે દર્દીને થાક લાગે છે અને સાથે ભૂખ ઘટે છે. આ સિવાય ઘરે આવ્યા બાદ ફિઝિકલ ગતિવિધિ પણ બંધ થાય છે. તેનાથી વજનમાં ઘટાડો સ્વાભાવિક છે. આ સિવાય શરીરમાં અંદર સોજાની સમસ્યાના કારણે કુપોષણમાં પણ જોખમ વધે છે. એટલું નહીં જે દર્દીઓ હોસ્પિટલમાં નથી પહોંચ્યા તેમને પણ કુપોષણની સમસ્યાનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે.