જો તમને લાગતુ હોય કે ભોજનમાં કેલરીની માત્રા ઘટાડી દેવાથી જ તમારું વજન ઘટી જશે તો તે તમારી ભુલ છે. સંશોધનો કહે છે કે કેલરીની ગણતરીની રીત હવે જુની અને અપ્રભાવી થઇ ચુકી છે. વજન ઘટાડવું હશે તો કેલરી ઘટાડવા વધારવાના દાયકાઓ જુના ઉપાય સિવાયના ઉપાય તરફ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.
સ્ટેનફોર્ડ પ્રિવેન્શન રિસર્ચ સેન્ટરમાં પોષણ અભ્યાસના ડિરેક્ટર ક્રિસ્ટોફર ડી. ગાર્ડનરના નેતૃત્વમાં 600 લોકો પર અભ્યાસ કરાયો.
અભ્યાસમાં જાણવા મળ્યુ કે જે લોકોએ કેલરી ગણવા અને તેને સિમિત કરવાના બદલે વધુ પડતી ખાંડ, પ્રોસેસ કરાયેલા ખાદ્ય પદાર્થો અને શુધ્ધ અનાજના બદલે વધુ શાકભાજી અને ફળ ખાવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ તેણે વધુ ઝડપથી વજન ઉતાર્યુ. આ રણનિતિએ બધા માટે સમાન રીતે જ કામ કર્યુ.
જે લોકોએ ચરબી વગરનો અને ઓછા કાર્બોહાઇડ્રેડ વાળો ખોરાક ખાધો તેની પર આનુવંશિક બિમારીઓની પણ ઓછી અસર થઇ.
સંકેત સ્પષ્ટ છે કે ભલે કોઇ વ્યક્તિના ડીએનએ મેકઅપ કે ચરબી કે કાર્બોહાઇડ્રેડ પર નિર્ભરતા કોઇ પણ પ્રકારે હોય પરંતુ ખરાબના બદલે સારો ખોરાક આરોગવામાં આવે તો વ્યક્તિ રોગમાંથી પણ બચી શકે છે.
આ સંશોધનો જણાવે છે કે આહારની ગુણવત્તા વધુ મહત્ત્વપુર્ણ છે, માત્રા નહીં. તેના દ્વારા તમને લાંબા સમયે સરળતાથી વજન
ઘટાડવામાં અને વધતુ રોકવામાં સહાયતા મળે છે. કેલરીનું જુનુન સમય અને પ્રયાસની બરબાદી છે. તેના બદલે આપણે રિફાઇન્ડ સ્ટાર્ચ અને વધુ ખાંડ તેમજ પ્રોસેસ કરેલા ખાદ્યપદાર્થોથી બચવું જોઇએ. તે વજન ઘટાડવાની એક અસરકારક રીત છે.
વજન ઘટાડવા માટે શું કરશો
- ખુબ જ ભુખ ન લાગવા દો. પૌષ્ટિક ખાદ્યપદાર્થોનું સેવન કરો.
- કેલરીની ગણતરી પર ધ્યાન ન આપો.
- શક્ય હોય તો ઘરનું જ બનાવેલુ ખાવાનું ખાવ. રાત્રે પરિવાર સાથે બેસીને જમો.
- લો કેલરી ફુડની જાહેરાતોથી અંજાઇ ન જાવ. એવું કંઇ હોતું જ નથી.
- પ્રોસેસ કરેલા ફુડથી દુર જ રહો.
- ટીવી કે ફોનની સામે બેસીને ન જમો. જમતી વખતે ભોજન પર જ ધ્યાન આપો
- હળવો અને નિયમિત વ્યાયામ કરો.