દેશમાં કોરોના વાયરસની બીજી લહેર માથું ઉંચકી રહી છે. જુલાઈ બાદ ગયા અઠવાડિયે પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે.
વધ્યો કોરોનાનો કહેર
જુલાઈ બાદ ફરીથી જોવા મળ્યા વધુ પોઝિટિવ કેસ
મોતની સંખ્યા પણ એક અઠવાડિયામાં વધી
અનેક દિવસોથી દેશમાં કોરોના વાયરસના કેસ વધવાના સમાચાર આવી રહ્યા છે. આંકડા કહે છે કે સ્થિતિ ગયા વર્ષ કરતા પણ ખરાબ થવા લાગી છે. દેશમાં એક અઠવાડિયામાં ડિસેમ્બર -મધ્ય બાદથી નવા કેસ અને નવા દર્દીઓ સૌથી વધુ આવ્યા છે. એક અઠવાડિયા પહેલાની સરખામણીએ આ અઠવાડિયે આંકડામાં 33 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. વાયરસના કારણે મોતની સંખ્યા પણ 6 અઠવાડિયામાં સૌથી વધારે એટલે કે 28 ટકાની રહી છે. ટકાવારીની વાત કરીએ તો આ અઠવાડિયે આ આંકડા જુલાઈ બાદ સૌથી વધારે છે.
આ રીતે વધી રહ્યા છે નવા કેસ
એક અઠવાડિયામાં 1.56 લાખ નવા કોરોના દર્દી આવ્યા છે જે 14-20 ડિસેમ્બરના 12 અઠવાડિયા બાદ સૌથી વધારે છે. દેશમાં મહામારીની બીજી લહેર આવવાથી છેલ્લા 4 અઠવાડિયામાં કેસ બમણા થયા છે. રવિવારે 26386 નવા કેસ આવ્યા છે જે 19 ડિસેમ્બર બાદના 85 દિવસમાં સૌથી વધારે છે. 8-15 માર્ચની વચ્ચે 38714 કેસ આવ્યા જે 7-13 સપ્ટેમ્બર બાદ સૌથી વધારે છે.
देश में कोरोना वायरस के 76.93% सक्रिय मामले महाराष्ट्र, केरल और पंजाब से हैं: केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19
મોતની સંખ્યામાં પણ થયો છે વધારો
એક અઠવાડિયામાં થનારા મોતમાં સૌથી વધારે મોટો ઘટાડો ગયા વર્ષે 8-14 જૂન પછી 8-14 ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો. ત્યારે 77 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. આ પછી કેસ વધતા રહ્યા છે. વાયરસના કારણે મોત પણ એક અઠવાડિયામાં વધ્યા છે. કેસ મૃત્યુદર ઘટી રહ્યો છે. 25-31 જાન્યુઆરીની વચ્ચે 975 લોકોના મોત થયા છે અને સાથે સૌથી વધારે 876 લોકોના આ અઠવાડિયે મોત થયા છે.
महाराष्ट्र: कोरोना वायरस के बढ़ते मामलों के बीच नागपुर में आज से 21 मार्च तक पूर्ण लॉकडाउन लागू रहेगा। #COVID19pic.twitter.com/hjNSVFvybB
ત્રીજા નંબરે પહોંચ્યું ભારત
સૌથી વધારે કોરોના વાયરસના પોઝિટિવ કેસના મામલે ભારત આ અઠવાડિયે દુનિયામાં ત્રીજા નંબરે છે. અમેરિકા પર કોરોનાનો પ્રભાવ વધારે છે એટલે ત્યાં કેસ પણ વધારે છે. બીજા નંબરે બ્રાઝિલ છે. ભારત ત્રીજા નંબરે છે. એમેઝોન ક્ષેત્રમાં વાયરસનો નવો વેરિઅન્ટ મળ્યા બાદ બ્રાઝિલમાં પોઝિટિવ કેસ વધી રહ્યા છે. જેના કારણે તે ભારતથી આગળ નીકળી ચૂક્યું છે. દેશના રાજ્યોની વાત કરીએ તો હાલમાં મહારાષ્ટ્ર મોખરે છે. અહીં રવિવારે 16620 કેસ આવ્યા છે જે 30 સપ્ટેમ્બર બાદ એક દિવસમાં સૌથી વધારે છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में #COVID19 के 16,620 नए मामले, 8,861 डिस्चार्ज और 50 मौतें रिपोर्ट हुई हैं।
कुल मामले: 23,14,413
कुल डिस्चार्ज : 21,34,072
कुल मृत्यु: 52,861
सक्रिय मामले: 1,26,231
વેક્સીનેશનથી આશા
દર્દીઓની સંખ્યા વધતા જ વેક્સીનેશન રોજ નવી આશા લઈને આવી રહ્યું છે. લોકોને વેક્સીન આપવાના કામમાં ગતિ આવી છે. શુક્રવારે 20.53 લાખ લોકોને વેક્સીન અપાઈ હતી. જે અત્યાર સુધીમાં 1 દિવસની સૌથી વધારે સંખ્યા છે. સૌથી વધારે 3.3 લાખ ડોઝ યૂપીમાં અપાયા. 74 ટકા ડોઝ યૂપી, મહારાષ્ટ્ર, પ.બંગાળ, રાજસ્થાન, ગુજરાત, બિહાર, કેરળ, કર્ણાટકમાં આપવામાં આવ્યા છે.