અમદાવાદીઓ માટે આ કર્ફ્યૂ ચેતવણી છે કેમ કે, જો હજુ પણ લોકો ઘરની બહાર નીકળતા રહેશે અને સંક્રમણ વધી જશે તો પછી લોકડાઉન આવી શકે છે. એટલે ભીડ એકઠી ન થાય તે જરૂરી છે.
અમદાવાદમાં સોમવાર સવારના 6 વાગ્યા સુધી કફર્યૂ
વહેલી સવારથી કફર્યૂનું સઘન પાલન
વાહનચાલકોની અવરજવર બંધ
તહેવારો બાદ કોરોના વિસ્ફોટને કારણે શની-રવિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે પણ જો હજુ પણ લોકો ભીડ ભેગી કરશે તો કોરોના હજુ વકરવાની વકી છે ત્યારે અમદાવાદ સહીતના ગુજરાતના તમામ શહેરોએ ચેતવાની જરૂર છે અને જરૂર સિવાય ભીડ ભેગી કરી કોરોનાને ફેલાવવા મોકળુ મેદાન આપવા કરતા સ્વંભૂ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે તો અને તો જ કોરોનાને નાથી શકાશે.
ગઈકાલના કોરોનાના આંકડા
દિવાળી બાદ દિવસેને દિવસે રેકોર્ડ તોડ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1420 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1040 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,77,515 પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3837 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 13000 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.31 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 67,901 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 71,01,057 પર પહોંચ્યો છે.
અમદાવાદ માં કર્ફ્યૂ પણ ગ્રામ્યમાં કર્ફ્યુ લાગુ નહીં થાય.
અમદાવાદ જિલ્લામાં 327 અને જિલ્લામાં 16 નવા કોરોનાના કેસ
આજે અમદાવાદ શહેરમાં 305, અમદાવાદ જિલ્લામાં 22, સુરત શહેરમાં 205, સુરત જિલ્લામાં 41, વડોદરા શહેરમાં 116, વડોદરા જિલ્લામાં 39, રાજકોટ શહેરમાં 83, રાજકોટ જિલ્લામાં 54, મહેસાણામાં 52, બનાસકાંઠામાં 54, ગાંધીનગર શહેરમાં 52, ગાંધીનગર જિલ્લામાં 34 કોરોનાના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આજે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સોમવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત