બનાસકાંઠા જિલ્લાના વાડિયાગામની બે દીકરીઓના લગ્નની સહાય માટે સોશિયલ મીડિયા પર અપીલ કરાઈ હતી. જે અપીલથી સોશિયલ મીડીયાના માધ્યમથી એક જ દિવસમાં 3.50 લાખથી વધુ દાન દીકરીઓના લગ્ન માટે મળ્યું છે. આ દીકરીઓના લગ્ન એક NGO દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાનુ આ ગામ દેહ વ્યાપાર માટે કુખ્યાત છે પરંતુ આ સોશિયલ મીડિયાના અપીલથી આ દીકરીઓ સારા રસ્તે જાય તેવો NGO દ્વારા સરાહનીય પ્રયાસ હાથ ધરાયો છે.
તમને જણાવી દઈએ કે ઘણી જગ્યાએ ગોરખઘંઘા થઇ રહ્યા છે ત્યારે આ વાડિયા ગામ પણ દેહ વ્યાપાર માટે કુખ્યાત છે. જયારે હવે દીકરીઓ સારા રસ્તે જાય તે માટે આવા પ્રયત્નો થઇ રહ્યા છે. આ ગામની બે દીકરીઓના લગ્નની સહાય માટે સોશિયલ મીડિયા પર અપીલ કરાઈ હતી ત્યારે એક જ દિવસમાં દાતાઓ દ્વારા દીકરીઓને સારા રસ્તે મોકલાવા 3.50 લાખથી પણ વધુ દાન મળત્ય હતું.