મોટાભાગે મહિલાઓ લગ્ન બાદ વેટ ગેઈન કરી લેતી હોય તેવું જોવા મળે છે. આ ઉપરાંત પ્રેગનન્સી પણ એક કારણ હોઈ શકે છે, જો તમે તમારા ફિગરનું ધ્યાન નહીં રાખો તો તમને બિમારીઓનો ભય પણ રહી શકે છે. પરંતુ જો લગ્ન બાદ આ નાની વાતોનું ધ્યાન રાખશો તો તમે તમારા ફિગરને ફિટ અને સ્લીમ રાખી શકો છો.
લગ્ન બાદ રહેવું છે ફિટ અને સ્લીમ
આ ટિપ્સથી કરો ફિગર મેન્ટેન
ખાનપાનની સાથે ડાયટ અને કસરતને આપો મહત્વ
લગ્ન બાદ જ્યારે મહિલાઓનું વજન અચાનક વધી જાય છે ત્યારે તેઓ હેરાન થઈ જાય છે. તેઓને માટે તે એક સમસ્યા બની જાય છે. અહીં તમારે જાણી લેવું કે જો તમે સમયસર તમારા વજનને કાબૂમાં લેવાના પ્રયાસ નથી કરતા તો તે ખરેખર તમારા માટે સમસ્યા બની શકે છે. વજન વધવાનું કારણ લગ્ન સીઝનમાં જે તે કંઈ ખાઈ લેવું અને સાથે કસરતનો અભાવ મૂળભૂત ભાગ ભજવે છે. પરંતુ જો તમે આ નાની વાતો ધ્યાનમાં રાખશો તો તમે તમારા ફિગરને ફિટ અને સ્લીમ રાખી શકશો.
ખાવાનું સમયસર ખાઓ
લગ્ન અને ત્યારબાદ બાળકો થવાના કારણે મહિલાઓનો સમય પરિવાર સંભાળવામાં જતો રહે છે. પોતાના માટે તેમની પાસે સમય રહેતો નથી. જો તમે તમારું ફિગર મેન્ટેન કરવા ઈચ્છો છો તો દર 2 કલાકે કંઈને કંઈ ખાઓ તે જરૂરી છે. લંચમાં ઓઈલી ફૂડ ખાઓ તો બ્રેકફાસ્ટ અને ડિનર લાઈટ લો તે જરૂરી છે. રાતે 8 વાગ્યા પહેલાં ડિનર કરી લો તે જ યોગ્ય છે.
ડાયટિંગથી રહો દૂર
લગ્ન બાદ વધતાં જતાં વજનને કારણે મહિલાઓ ડાયટિંગ શરૂ કરી દે છે. એવું ન કરશો. આ મોટી ભૂલ છે. હંમેશા સંતુલિત ભોજન કરવું. તેનાથી સ્થૂળતા આવતી નથી. જો તમે કસરત નથી કરી શકતા તો તમે ચાલો તે જરૂરી છે. આ સિવાય ઓઈલી ફૂડથી દૂર રકહો અને વધારે પ્રોટીન અને કેલ્શિયમ વાળું ફૂડ લો તે જરૂરી છે.
વર્કિંગ વુમન છો તો કરો પ્રોપર રેસ્ટ
વજન વધવાની સમસ્યા મહિલાઓમાં વધારે હોય છે તેનું કારણ છે ઓફિસથી આવ્યા બાદ જરૂરી રેસ્ટ ન મળવો. જો આરામ કરશો તો દિવસની શરૂઆત સારા પ્લાનિંગ સાથે કરી શકશો. સવારે કરેલો યોગ, વ્યાયામ અને મેડિટેશન તમને હેલ્ધી રાખશે. આ સિવાય તમે ઓફિસમાં પણ મૂવમેન્ટ કરશો તો ફેટ તમને હેરાન નહીં કરે.
ઓછામાં ઓછું 15 મિનિટ યોગા કરો
લગ્ન બાદ મહિલાઓની લાઈફમાં ભાગદોડ વધારે રહે છે. લગ્ન પહેલાંની ફિટનેસ ધીમે ધીમે ખોવાઈ જાય છે. જેના કારણે વજન વધે છે. હેલ્થની અસર મગજ પર પણ પડે છે. આ માટે તમારે દિવસમાં ઓછામાં ઓછું 15 મિનિટ યોગા કરવો જરૂરી છે. તેનાથી મન ફ્રેશ રહે છે અને તમે ફિટ રહો છો.
જંક ફૂડથી રહો દૂર
જંક ફૂડથી ફિટનેસ સૌથી વધારે જલ્દી ખરાબ થાય છે. તેને સંપૂર્ણ રીતે અવોઈડ કરીને લગ્ન પછી પણ પહેલાંની જેમ જ સ્વસ્થ રહી શકાય છે. આ સિવાય પાણી પણ વધારે પીતા રહેવું જરૂરી છે. તેનાથી વજન ઓછું રહેશે અને સાથે જ તમારા ચહેરા પર રોનક આવશે. બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ મળે છે.